ભરૂચ : ઇન્ડિયા ગઠબંધનના ભરૂચ બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાએ ચૂંટણી પ્રચાર દરમિયાન કોલીયાદ ગામમાં ભાજપ પર આક્ષેપ કર્યા છે. ચૈત્ર વસાવાએ કહ્યું હતું કે “ભાજપના લોકોએ મારા પીએ અને મને કહ્યું હતું કે ભાજપ માં જોડાઈ જાવ નહિ તો તમારી કારકિર્દી ખલાસ કરી નાખીશું”
ચૈતર વસાવાએ ચૂંટણી પ્રચાર સભામાં કહ્યું હતું કે ભાજપે મારેલા જેલના તાળા તોડી અમે લોકો તમારી વચ્ચે આવી ગયા છે આન ઉપરાંત ઉમેર્યું હતું કે અમારો ખેલ પતિ નથી ગયો હવે ખેલ અમારો શરૂ થયો છે. આમ કહી આમ આદમી પાર્ટીના ઉમેદવારે ભાજપને સીધો પડકાર ફેંક્યો હતો.
આ પણ વાંચો : લો બોલો ચોરે પણ સમય અને શક્તિ બચાવી! ATM ચોરીના ગુના આચરવા ટોળકી પ્લેનમાં ગુજરાત આવી, એરપોર્ટના કેમેરાના કારણે ઝડપાયા