ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી યોજનાના લાભાર્થીઓને સોગંદનામું નહિ કરવું પડે

જે બાબતોમાં કાયદાકીય જરૂર ન હોય તેમાં હવે સોગંદનામું કરવાની જરૂર નથી. રાજ્યના નાગરિકોને હવે વિવિધ યોજનાના લાભ લેવા માટે સંબંધિત કચેરીએ સોગંદનામું કરવા જવું નહીં પડે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:02 PM

ગુજરાતના(Gujarat)  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે(CM Bhupendra Patel)  સુશાસન દિવસે એક મહત્વનો નિર્ણય કર્યો છે. રાજ્યમાં સરકારી(Scheme)  યોજનાના લાભાર્થીઓને હવે સોગંદનામું(Affidevit)  કરાવવાની જરૂર નથી. જે બાબતોમાં કાયદાકીય જરૂર ન હોય તેમાં હવે સોગંદનામું કરવાની જરૂર નથી.

રાજ્યના નાગરિકોને હવે વિવિધ યોજનાના લાભ લેવા માટે સંબંધિત કચેરીએ સોગંદનામું કરવા જવું નહીં પડે. આ નિર્ણયથી નાગરિકોના સમય અને રૂપિયાની બચત થશે.

ઉલ્લેખનીય છે, ગુજરાતમાં હાલ સરકારી યોજનાના લાભ લેવા માટે સોગંધનામું કરવું પડે છે. જેમાં લોકોએ સરકારી ઓફિસમાં અથવા તો વધુ નાણાં ખર્ચીને ખાનગી રીતે કરાવવું પડે છે. તેમજ તેની સાથે વારંવાર કચેરીના ધક્કા ખાવા પડે છે. તેમજ લોકોના નાણાં અને સમયનો પણ બગાડ થાય છે, તેમજ બિનજરૂરી રીતે સ્ટાફ પણ આમાં રોકાઇ રહે છે. તેમજ અનેક ગ્રામીણ વિસ્તારોમાં આ વ્યવસ્થા ન હોવાના લીધે લોકોએ છેક તાલુકા કે જિલ્લા મથકે આવવાની પણ ફરજ પડે છે.

આ ઉપરાંત આ બધી પ્રક્રિયાના લીધે લોકો સુધી સરકારી યોજનાનો લાભ પહોંચતો નથી.તેમજ લોકો પણ આ બધી માથાકૂટના લીધે સરકારી યોજનાના લાભ લેવાથી દૂર ભાગે છે.

તેવા સમયે સરકારના મહત્વના નિર્ણયના લીધે લોકો સુધી સરકારી યોજનાનો લાભ સરળતાથી પહોંચી શકશે અને વધુ લોકો સરકારી યોજનામાં જોડાઈ શકશે.

આ પણ વાંચો : સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ધસારો, એક જ દિવસમાં 30,000 પ્રવાસીઓ પહોંચ્યા

આ પણ વાંચો : રાજકોટમાં તંત્ર એકશન મોડમાં, કોરોના રસી ના લીધી હોય તેમની સામે ફરિયાદ દાખલ કરાઇ

Follow Us:
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">