ભાદરવી પૂનમના મેળા પહેલા પદયાત્રિકોની સુરક્ષા માટે ત્રિશુળિયા ઘાટ ફરતે પ્રોટેક્શન જાળી મુકવા ઉઠી માગ- Video

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દર વર્ષે આ મેળામાં લાખો પદયાત્રિકો આવે છે. જો કે હાલ મેળા પહેલા આ પદયાત્રિકોની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. ત્રિશુળિયા ઘાટ પરની ભેખડો ધસી પડવાને કારણે પદયાત્રિઓ પર જોખમ રહેલુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2024 | 2:51 PM

શક્તિપીઠ અંબાજીમાં ભાદરવી પૂનમના મહામેળાને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે લાખો પદયાત્રીઓની સુરક્ષા સામે સવાલ ઊભો થયો છે. અંબાજી પહોંચતા પદયાત્રીઓ માટે દાતા-અંબાજી માર્ગ પર ભેખડ ધસી પડવાનું જોખમ છે. ત્રિશૂળિયા ઘાટ પરની ભેખડોના કારણે પદયાત્રીઓ પર જોખમની ભીતિ છે. ત્રિશુળિયા ઘાટ પર અગાઉ અકસ્માતો થતા હતા એટલે ત્રિશૂળિયા ઘાટ પર રહેલા પર્વતોને કાપી અને માર્ગને પહોળો કરવામાં આવ્યો હતો. હવે ચોમાસાની ઋતુમાં ભેખડ અને પથ્થરો ઘસી પડવાની ઘટના બને છે. ત્યારે પદયાત્રીઓની સલામતી માટે યાત્રાળુઓના માર્ગ પર પ્રોટેક્શન જાળી લગાવવાની માગણી ઉઠી રહી છે.

ભલા રાજપૂત નામના પદયાત્રિ જણાવે છે કે ભાદરવી પૂનમના મેળાને પગલે યાત્રિકોનો ધસારો વધુ રહે છે. હાલ વરસાદી સિઝન પણ ચાલી રહી છે, ત્યારે ચાલતા આવતા પદયાત્રિકોના માથે ભેખડો ધસી પડવાની અને જાનહાનિ થવાની ભીતિ રહેલી છે. આથી સમગ્ર ત્રિશુળિયા ઘાટ પર જાળી લગાવવી અત્યંત જરૂરી છે આથી સરકારે તેના માટે વિચારવુ જોઈએ અને સત્વરે જાળી લગાવવાની કામગીરી શરૂ કરવી જોઈએ.

સાત દિવસ બાદ ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ રહ્યો છે અને દાંતા અંબાજી માર્ગ પરથી લાખો પદયાત્રિકો આ મેળામાં આવનાર છે ત્યારે જોખમી બનેલા ત્રિશુળિયા ઘાટને જાળી લગાવવી અત્યંત જરૂરી છે.

Input Credit- Atul Trivedi- Banaskantha

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
આ ગામમાં દરેક વ્યક્તિ પાસે છે પોતાનું વિમાન, રસપ્રદ છે કહાની
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
PM મોદી આજથી બે દિવસની ગુજરાત પ્રવાસે, અનેક વિકાસકામોની આપશે સોગાત
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
રિવાબા જાડેજા સહિતના લોકોએ ગણપતિ દાદા માટે બનાવ્યા 15,500 લાડું
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
ખનીજચોરીની ફરિયાદ નોંધાવનારના ઘર પર ખનીજ માફિયાઓએ કર્યું ફાયરિંગ
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
મેઘાણીનગરમાં ગુંડા તત્વો પર પોલીસે કરી કાર્યવાહી
"વિપક્ષના એક મોટા નેતાએ PM બનવા માટેની કરી હતી ઓફર "- નીતિન ગડકરી
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
આ 4 રાશિના જાતકોના આવકના નવા સ્ત્રોતો વધવાના સંકેત
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
મધ્યપ્રદેશથી ગુજરાત લાવવામાં આવતા ડ્રગ્સનો પર્દાફાશ, 4 લોકોની ધરપકડ
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટા છવાયા વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">