આણંદના ગ્રામ્ય વિસ્તારમાં ફરી વળ્યા વરસાદી પાણી, સંખ્યાડ ગામના સરપંચ અસરગ્રસ્તની વ્હારે આવ્યા, જુઓ Video

|

Sep 18, 2023 | 11:57 PM

લોકોના ઘરમાં પાણી ભરાતા ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યાડ ગામના સરપંચ અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે અને ભાઠામાં રહેતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી ગામના સરપંચ પોતાના ખર્ચે નાગરિકોને ભોજન પુરૂ પાડશે.

આણંદના (Anand) નદીકાંઠા વિસ્તારના ગામમાં મહી નદીના પાણી ફરી વળતા સ્થિતિ વિકટ બની છે. નદીકાંઠા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરમાં પાણી ભરાયા છે. જેથી લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન થયું છે.

આ પણ વાંચો Anand Rain : બોરસદના ગાજણા ગામે મહિસાગર નદીમાં 13 લોકો ફસાયા, ઝાડ પર બેસવા લોકો મજબૂર, જુઓ Video

લોકોના ઘરમાં પાણી ભરાતા ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે મોટી સંખ્યાડ ગામના સરપંચ અસરગ્રસ્ત લોકોની વ્હારે આવ્યા છે અને ભાઠામાં રહેતા લોકો માટે ભોજનની વ્યવસ્થા કરી છે. જ્યાં સુધી પૂરના પાણી ઓસરે નહીં ત્યાં સુધી ગામના સરપંચ પોતાના ખર્ચે નાગરિકોને ભોજન પુરૂ પાડશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video