અમી વરસાવો મેઘરાજા : મેઘ મહેર માટે ત્રિદિવસીય ભાતીગળ પર્વનો આજથી પ્રારંભ, જુઓ ઉત્સવની વિશેષતાનો Video

Bharuch : વિશ્વભરમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા અને ઘોઘારાવ દેવના ત્રિદિવસીય ભાતીગળ મેળાનો આજનો પ્રારંભ થયો છે. છપ્પનિયા દુષ્કાળ સમયે ભરૂચના ભોઈ સમાજે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી પૂજનઅર્ચન કરતાં વરસાદ(Rain)વરસ્યો હતો.

| Updated on: Sep 06, 2023 | 5:19 PM

Bharuch : વિશ્વભરમાં માત્ર ભરૂચમાં ઉજવાતા મેઘરાજા અને ઘોઘારાવ દેવના ત્રિદિવસીય ભાતીગળ ઉત્સવ આજનો પ્રારંભ થયો છે. છપ્પનિયા દુષ્કાળ સમયે ભરૂચના ભોઈ સમાજે મેઘરાજાની પ્રતિમાની સ્થાપના કરી પૂજનઅર્ચન કરતાં વરસાદ(Rain)વરસ્યો હતો. આ બાદ બે સૈકા ઉપરાંતથી દરવર્ષે મેઘરાજાની મહેર માટે આ ઉત્સવ ઉજવાય છે.

હાલના સમયમાં ફરી મેઘરાજાના રિસામણાં  લીધા છે ત્યારે મેઘમહેર માટે આ ઉત્સવ મહત્વ ધરાવે છે. દરવર્ષે ભરૂચના ભોઈ સમાજ દ્વારા મેઘરાજાની માટીમાંથી પ્રતિમા બનાવી તેની સ્થાપના કરાય છે.બે સૈકા ઉપરાંતથી દર વર્ષે ઉજવાતા ઉત્સવમાં પ્રતિમામાં મેઘરાજાના મુખારવિંદમાં બદલાવ આવ્યો નથી. ત્રિદિવસીય ઉત્સવ બાદ દશમે પ્રતિમાનું નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવે છે.

આ પણ વાંચો : Ahmedabad: તહેવારો ટાણે જ સસ્તા અનાજની દુકાનોમાં જથ્થો ઓછો પહોંચ્યાની ફરિયાદ ઉઠી, ગોડાઉન મેનેજરે જાણો શુ કહ્યુ?

આ સાથે ઘોઘારાવ દેવનો ઉત્સવ પણ મનાવવામાં આવે છે. 25 ફુટ ઊંચી છડીને ભોઈ સમાજના યુવાનો ઝુલાવે છે. આ નજારો જોવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. સાતમ અને આઠમે છડી મંદિર પરિસરમાં ઝુલાવાય છે. નોમના દિવસે નગરચર્યા કરાય છે. દશમે ઘોઘરવાના મંદિરના પ્રવેશદ્વાર સામે બે છડી ભેટયા બાદ મેઘરાજાની પ્રતિમાની વિસર્જનયાત્રા નીકળે છે.

ચાલુવર્ષે ફરીએકવાર મેઘરાજાએ રીસામણા લીધા છે ત્યારે વર્ષો પૂર્વે ચમત્કાર સર્જનાર ભોઈ સમાજના મેઘરાજાના પર્વ તરફ ફરી એકવાર મીટ મંડાઈ છે. વરસાદ ખેંચાઈ જતા ખેડૂતો ચીંતાતુત બન્યા છે જયારે ઘણા જળાશય હજુ ભરાયા નથી. વરસાદની તાતી જરૂરિયાત છે ત્યારે મેઘરાજા ફરી એકવાર પર્વ દરમિયાન મનમૂકીને વરસી પડે તેવી આશા સાથે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

ભરૂચ  સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Follow Us:
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
જાપાનનો રોગ જૂનાગઢમાં, 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
આજે મેળાનો છેલ્લો દિવસ, ગૃહરાજ્ય પ્રધાન હર્ષ સંઘવી મુલાકાતે
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત, 2 ના મોત
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
આ રાશિના જાતકોને થશે આકસ્મિક ધનલાભ
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી જિલ્લા ભાજપમાં થયો ભડકો- Video
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
પીએમ મોદીના વતન વડનગરમાં તૈયાર થશે એશિયાનું સૌપ્રથમ આર્કિયો મ્યુઝિયમ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
વડોદરાના યુવકે એક પૈડાવાળી સાયકલ પર સવાર થઈ બતાવી અનોખી ગણેશ ભક્તિ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
તંત્રની આંખ ખોલવા મહિલાએ કાદવમાં આળોટી નાળાની સમસ્યા અંગે ધ્યાન દોર્યુ
g clip-path="url(#clip0_868_265)">