બનાસકાંઠા જિલ્લા ક્લેકટરે આ અંગેની માહિતી મીડિયાને આપી હતી. તેઓએ આપેલ માહિતી અનુસાર અંબાજીને વધુ ભવ્ય વિસ્તાર બનાવવામાં આવશે. આ માટે ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. અંબાજીને પૌરાણિક પ્રવાસન થીમ આધારિત કાયાકલ્પ કરવામાં આવનાર છે. એરિયા ડેવલપમેન્ટ હેઠળ રાજ્ય સરકાર અંબાજીમાં વિકાસના વિવિધ પ્રોજેક્ટ ઝડપથી શરુ કરવા જઈ રહી છે.
અંબાજીના વિકાસથી દેશ અને વિદેશથી આવતા શ્રદ્ધાળુઓને સરળતા અને સુવિધાઓ વધુ પ્રાપ્ત થશે. લગભગ 2 હજાર કરોડ રુપિયાના પ્રોજેક્ટનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. જેમાં ગટર અને પાણીની વ્યવસ્થા સહિત રોડ અને રસ્તા અને નવા બાંધકામના આયોજનને લઈ પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. ગબ્બર થી લઈને અંબાજી મંદિર સુધીના વિસ્તારને સુંદર રીતે તૈયાર કરવામાં આવશે. જેનાથી સ્થાનિક આદિવાસી વિસ્તારના લોકોની રોજગારીમાં પણ વધારો થશે.
Published On - 7:24 pm, Sat, 16 December 23