પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરના મોહનથાળના પ્રસાદને લઈ ભાદરવી પૂર્ણિમાના સમયે વિવાદ સર્જાયો હતો. કરોડો લોકોની શ્રદ્ધા સાથે જોડાયેલ અંબાજી મંદિરના પ્રસાદમાં શુદ્ધ ઘીના બદલે ભેળસેળ વાળુ ઘી ઉપયોગમાં લેવાને લઈ વિવાદ સર્જાયો હતો. લાખો લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા રુપ પ્રસાદને ભેળસળ ધરાવતા ઘીથી તૈયાર કરવાને લઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
જોકે હવે વિવાદીત મોહિની કેટરર્સનુ ટેન્ડર રદ કરવામાં આવ્યા બાદ હવે ટચ સ્ટોન ફાઉન્ડેશનને પ્રસાદ તૈયાર કરવાનો કોન્ટ્રાક્ટ અપાયો છે. ટચ સ્ટોન ફાઉન્ડેશન પણ વિવાદમાં રહ્યુ હતુ. હવે તેને ફરીથી મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
Published On - 11:46 am, Mon, 20 November 23