ગુજરાતમાં દરેક જિલ્લાઓના સુવ્યવસ્થિત વહીવટ અને તેના પર ઉચ્ચ કક્ષાએ દેખરેખ રાખવા માટે મંત્રીઓને જિલ્લા પ્રભારી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. તેમહ જ હાલમાં જ નવા મંત્રીમંડળની રચનામાં મંત્રી તરીકેનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ નવા મંત્રીઓને પ્રભારી મંત્રી તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં મંત્રી કનુ દેસાઈ ને સુરત અને નવસારી, ઋષિકેશ પટેલને અમદાવાદ, ખેડા, આણંદ, હર્ષ સંઘવી ને વડોદરા અને ગાંધીનગર, રાઘવજી પટેલને રાજકોટ, જૂનાગઢ, કુંવરજી બાવળીયાને પોરબંદર, દેવભૂમિ દ્વારકા, પરષોત્તમ સોલંકીને અમરેલી, ગીર સોમનાથ, ડૉ.કુબેર ડિંડોરને દાહોદ, પંચમહાલની જવાબદારી સોંપવામાં આવી છે.
(With Input, Kinjal Mishra, Gandhinagar)