Gandhinagar: AAP ના ચૂંટણી એજન્ટ પર હુમલો, ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ, જાણો ઈસુદાન ગઢવીએ શું કહ્યું

Gandhinagar: વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવાયો છે. સમગ્ર ઘટનામાં આપના નેતાએ ભાજપ પર આરોપ લગાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 03, 2021 | 4:33 PM

ગુજરાતમાં (Gujarat) ગાંધીનગર મનપાની(Gandhinagar Corporation)ચૂંટણીનું સવારથી જોરશોરથી મતદાન થઈ રહ્યું છે. જો કે આ દરમ્યાન ગાંધીનગરના સેકટર 6 માં આપના ચૂંટણી એજન્ટ પર હુમલો થયાના અહેવાલ સામે આવ્યા છે. વોર્ડ નમ્બર 10ના ઉમેદવાર વિરેન્દરસિંહ ગોહિલ અને આપના કાર્યકર્તાઓ પર હુમલો થયાની માહિતી આવી છે. સાથે જ આ ઘટનામાં ભાજપે હૂમલો કરાવ્યો હોવાનો આક્ષેપ પણ લગાડવામાં આવ્યો છે. ઇલેક્શન ડિસ્ટર્બ કરવા માટે ભાજપનું આ કાવતરું હોવાનો આક્ષેપ લાગ્યો છે. ચૂંટણી બાદ આ ઘટના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

તમને જણાવી દઈએ કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણીમાં અનેક સ્થળે બબાલના અહેવાલ આવ્યા છે. વોર્ડ-10 હેઠળના સેક્ટર-6માં આપના કાર્યકરોને માર મરાયાનો આરોપ લગાવાયો છે. જેમાં કારમાં આવેલા શખ્સોએ માર માર્યાની ફરિયાદ છે. બે કારમાં ચાર વ્યક્તિ આવ્યા હતા, જેમણે મોઢે રૂમાલ બાંધ્યો હતો. અને તેમણે આવીને હુમલો કર્યાની માહિતી બહાર આવી છે. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આવેલા વ્યક્તિઓ પાસે હથિયાર પણ હતા. સાથે જ બૂથ તોડી નાખવામાં આવ્યું હોવાની તસ્વીરો પણ સામે આવી છે. આ બાબતે આપ નેતા ઇસુદાન ગઢવીનું કહેવું છે કે, ‘આ ઘટનામાં પોલીસ તંત્રનો દુરઉપયોગ થઇ રહ્યો છે.’ આ બાબતે ઉચ્ચ લેવલે ફરિયાદ કરવાની વાત પણ ઇસુદાન ગઢવીએ કહી. ઇસુદાને કહ્યું કે ‘પશ્ચિમ બંગાળની હિંસા વખતે સીઆર પાટીલ અને અન્ય નેતાઓ પોસ્ટર લઈને ઉભા હતા. અને ગુજરાતમાં તેનો વિરોધ કર્યો હતો. જ્યારે ભાજપના પ્રેરિત ગુંડાઓએ આપના કાર્યકર્તાઓ પર હુમલો કર્યો છે.’ તમે વિડીયોમાં જોઈ શકો છો આ બાબતે આપ નેતા ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

 

આ પણ વાંચો: ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં બપોર સુધીમાં 37 ટકાથી વધુ મતદાન થયું

આ પણ વાંચો: ગુજરાતને કોરોના રસીકરણમાં શ્રેષ્ઠ કામગીરીનો એવોર્ડ, મુખ્યપ્રધાને રાજયના આરોગ્ય કર્મચારીઓને અભિનંદન પાઠવ્યા

Follow Us:
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">