અમદાવાદમાં ઓમિક્રોનના પ્રથમ દર્દીને અપાઈ રજા: દર્દીએ ઓમિક્રોનની અસર અને વેક્સિનને લઈને કહી આ મોટી વાત
આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી આવ્યા હતા. અહીં અમદાવાદ એરપોર્ટ પર જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ તેઓ આજે સ્વસ્થ થઇ જતા રજા આપવામાં આવી છે.
Ahmedabad: ઓમિક્રોનને (Omicron) લઈને અમદાવાદથી (Ahmedabad) રાહતના સમાચાર આવ્યા છે. ઓમિક્રોનના જોખમને લઈને હાલ અલગ અલગ ધારણાઓ બાંધવામાં આવી રહી છે. ત્યારે ઓમિક્રોનના સંકટ વચ્ચે રાહતના સમાચાર એ છે કે અમદાવાદમાં નોંધાયેલા પ્રથમ દર્દી સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. આ દર્દીના બે કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યાં બાદ દર્દીને રજા અપાઇ છે.
જણાવી દઈએ કે 19 ડિસેમ્બરે આ વ્યક્તિનો ઓમિક્રોન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તો આણંદના 48 વર્ષીય પ્રફુલ શાસ્ત્રી લંડનથી આવ્યા હતા ત્યારે તેમને કોરોના હોવાનું માલુમ પડ્યું હતું. તેઓનો અહીં અમદાવાદ એરપોર્ટ પર જ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
સ્વસ્થ થયેલા પ્રફુલ શાસ્ત્રીએ કહ્યું કે ઓમિક્રોનથી કોઈએ ડરવાની જરૂર નથી. તો સાથે જ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. વેક્સિનને લઈને પ્રફુલ શાસ્ત્રીએ એમ પણ કહ્યું કે વેક્સિન લીધી છે એણે ચિંતા કરવાની જરૂર નથી. અને જેણે વેક્સિન લીધી નથી તેમને જલ્દી જ વેક્સિન લેવા તાકીદ પ્રફુલ શાસ્ત્રીએ કરી છે. તો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં તેમની ચાલતી હતી સારવાર. પ્રફુલ શાસ્ત્રીને રજા મળતા પુષ્પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે દર્દીનો ઉત્સાહ વધારાયો હતો.
આ પણ વાંચો: સુરતમાં દૂધ ચોરીનો વિડીયો આવ્યો સામે, ખાલી કેરેટ મૂકી દુકાન આગળથી ભરેલા કેરેટ ઉઠાવતા તસ્કરો સક્રિય
આ પણ વાંચો: Omicron variant : ઓમિક્રોનના કેસ વધતાં ઈઝરાયલ એલર્ટ મોડમાં, લોકોને રસીનો ચોથો ડોઝ આપવામાં માટેની ટ્રાયલ શરૂ
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
