Gujarati Video : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ પાસે ગેરકાયદે દબાણ હટાવાયું, મૂર્તિને નુકસાન ન થાય તે રીતે તોડી પડાયું મંદિર

|

Jun 03, 2023 | 5:03 PM

ઔડાના જ પ્લોટ પર કરવામાં આવેલું દબાણ ઔડાની ટીમે દૂર કરવામાં આવ્યું હતું. અહીં મંદિર, ગૌશાળા ઉપરાંત અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવા (Demolition) આવેલી ટીમે મૂર્તિને નુકસાન ન થાય તે રીતે મંદિર તોડી પાડ્યું હતું.

Ahmedabad : અમદાવાદની ઝાયડસ હોસ્પિટલ (Zydus Hospital) પાસે ગેરકાયદે દબાણ પર ઔડાનું બુલડોઝર ફર્યુ. ઔડાના જ પ્લોટ પર કરવામાં આવેલું દબાણ ઔડાની ટીમે દૂર કરવામાં આવ્યું હતું. અહીં મંદિર, ગૌશાળા ઉપરાંત અન્ય બાંધકામ પણ કરવામાં આવ્યું હતું. જો કે, દબાણ દૂર કરવા (Demolition) આવેલી ટીમે મૂર્તિને નુકસાન ન થાય તે રીતે મંદિર તોડી પાડ્યું હતું. એટલું જ નહિં ગૌશાળા અને અન્ય બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો-Gujarati Video : રથયાત્રા પૂર્વે યોજાનારી જળયાત્રા માટે જગન્નાથ મંદિરમાં વિશેષ તૈયારી, બળદગાડા તૈયાર કરાયા

ગૌશાળાનું બાંધકામ તોડવામાં આવે તે પહેલા પશુઓને ઢોર ડબ્બામાં પૂરીને ઢોરવાડા લઇ જવામાં આવ્યા હતા. જો કે, એક વાછરડું અને તેની માતાને જે તે સ્થળ પર જ રાખવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીઓએ જાતે જ દૂધ કાઢીને વાછરડાને પીવડાવવામાં આવ્યું હતું.

તો દબાણ હટાવ કામગીરી દરમિયાન હોબાળો મચી ગયો હતો. મહાકાળી માતાનું મંદિર તોડવાની કામગીરી હાથ ધરાતા VHP અને મહાકાળી સેવા ટ્રસ્ટે વિરોધ નોંધાવ્યો હતો. પોલીસ અને VHPના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. કેટલાક VHPના કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

મંદિરના મહારાજ રાજેન્દ્રગીરીનો દાવો છે કે તેમની પાસે મંદિરના કાયદેસરના દસ્તાવેજો છે, પરંતુ જમીન ખાલી કરાવવા માટે ગણેશ હાઉસિંગના બિલ્ડર દ્વારા આ બધુ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે- મરી જઈશું પણ મંદિર, સમાધિ અને ગૌશાળા દૂર નહીં કરવા દઈએ. મહારાજ પ્રમાણે આ જમીન દાયકાઓ પહેલા ઠાકોરોએ દાનમાં આપી હતી. તે સમયે અહીં ફક્ત એક ડેલુ જ હતું, પરંતુ ત્યારબાદ મોટું મંદિર બનાવાયું હતું. તેના દસ્તાવેજો પણ છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:04 pm, Sat, 3 June 23

Next Video