અમદાવાદ : મોટાભાગના વેપારીઓએ જાતે જ ઇંડા-નોનવેજની લારીઓ રાતોરાત હટાવી લીધી, AMCએ કડક કાર્યવાહીની સૂચના આપી

ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 2:09 PM

અમદાવાદઃ રસ્તા પરથી ઈંડા-નોનવેજની લારીઓ હટાવવાની કામગીરીનો આજથી પ્રારંભ થયો છે. જોકે, તંત્ર આજે લારી હટાવવાની કામગીરી કરે તે પહેલા જ વેપારીઓએ જાતે લારી હટાવી લીધી હતી. મોટાભાગના મુખ્યમાર્ગો પરથી લારીઓ રાતોરાત હટાવી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છેકે અમદાવાદમાં હવે જાહેરમાં માંસ, મટન, મચ્છી અને ઈંડાનું વેચાણ કરતી લારીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અમદાવાદના મંદિર, ગાર્ડન, હોલ કે જાહેર રસ્તાથી 100 મીટરના અંતરમાં આવી લારીઓ ઉભી રાખી શકાશે નહીં. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ કમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય લેવાયો છે. અમદાવાદમાં હેલ્થનું લાઈસન્સ ન ધરાવતી દુકાનોમાં પણ માંસ, મટન, મચ્છી કે ઈંડાના વેચાણ સામે પગલાં લેવામાં આવશે. AMC સત્તાધીશોએ એસ્ટેટ વિભાગને કડક કાર્યવાહી કરવાની સૂચના આપી છે. અમદાવાદમાં આજથી જાહેરમાં માંસ, મટન, મચ્છી, આમલેટનું વેચાણ કરતી લારીઓ સામે કાર્યવાહી કરાશે. જે દુકાન ધારકો પાસે યોગ્ય લાયસન્સ ન હોય તેની સામે પણ તવાઈ આવશે.

ગુજરાતની એક આગવી ઓળખ વેજીટેરિયન રાજ્ય તરીકેની છે. જો કે ગુજરાતમાં એક અંદાજ પ્રમાણે 40 ટકા લોકો નોનવેજ ખાય છે. જે પૈકી 39.9 ટકા પુરૂષ અને 38.2 ટકા મહિલાઓનો નોન-વેજીટેરિયન ફૂડ આરોગે છે. હરિયાણા, રાજસ્થાન, પંજાબ કરતા પણ વધુ લોકો ગુજરાતમાં નોનવેજ ખાય છે. જો એકલા અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં દૈનિક 18 લાખથી વધારે ઈંડાનું વેચાણ થાય છે. અમદાવાદમાં દૈનિક 200 ટન મરઘાના ચિકનનું વેચાણ પણ થાય છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">