પહેલા રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના ભાવ આસમાને, ઘર કેમ ચલાવવું ?

શાકભાજીના ભાવમાં બમ્પર ઉછાળાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.શાકભાજીના ભાવમાં 50 ટકાથી 60 ટકા વધારો થતા ગૃહિણીઓ હવે પહેલા કરતા ઓછી શાકભાજી ખરીદે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 10:31 PM

AHMEDABAD : મોંઘવારીની વાત કરીએ પેટ્રોલ-ડીઝલના ભાવ તો વધી જ રહ્યા છે અને તેને કારણે અન્ય વસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે..રાંધણ ગેસના વધતા ભાવે ગૃહિણીઓની ફિકર પહેલાથી જ વધારી દીધી છે.. તેવામાં હવે શાકભાજીના વધી રહેલા ભાવે ગૃહિણીઓનું બજેટ ખોરવી નાખ્યું છે.પહેલા રાંધણગેસ, પેટ્રોલ-ડીઝલ, સિંગતેલ અને હવે શાકભાજીના ભાવ આસમાને પહોચ્યા છે, આમાં કેમ ઘર ચલાવવું ?

શાકભાજીના ભાવમાં બમ્પર ઉછાળાથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે.શાકભાજીના ભાવમાં 50 ટકાથી 60 ટકા વધારો થતા ગૃહિણીઓ હવે પહેલા કરતા ઓછી શાકભાજી ખરીદે છે.પાકને નુકસાન થતા ગૃહિણીઓના બજેટ પર અસર પડી રહી છે.

શાકભાજીના પહેલા અને અત્યારના ભાવની હોલસેલ માર્કેટમાં સરખામણી કરીએ તો,જે કોથમીર પહેલા 20 રૂપિયામાં મળતી હતી, તે હવે 50 રૂપિયે કિલો મળે છે, જે રીંગણ 10-15 રૂપિયે કિલો મળતા હતા તે હવે 20-25 રૂપિયે કિલો મળે છે.આવી જ રીતે હાલ દૂધી 20-25 રૂપિયે કિલો, ગિલોળા 75થી 90 રૂપિયે કિલો, ફુલાવર 25થી 30 રૂપિયે કિલો, કોબીજ 12થી 15 રૂપિયે કિલો, વટાણા 120થી 140 રૂપિયે કિલો અને તુવેર 80થી 90 રૂપિયે કિલો મળે છે આ તમામ ભાવ હોલસેલ માર્કેટના છે, એટલે કે રિટેઇલ માર્કેટમાં શાકભાજી આ ભાવ કરતા પણ મોંઘુ મળે છે.

તો શાકભાજીના ભાવમાં વધતા ગ્રાફ અંગે વેપારીઓનું કહેવું છે કે, જો મેઘરાજા વિરામ લે તો ભાવ ઘટે.આ ઉપરાંત આગામી બે મહિના સુધી ભાવ ઘટે તેવી શક્યતા ઓછી હોવાના વેપારીઓ એંધાણ આપી રહ્યા છે.શાકભાજીની નવી આવક 2-3 મહિના પછી આવશે અને ભાવ ચોક્કસથી ઘટશે, તેવી હોલસેલ માર્કેટની આગાહી કેટલી સાચી પડશે અને ક્યારે ગૃહિણીઓને રાહત મળશે, તે તો સમય જ બતાવશે.પરંતુ, હાલ તો શાકભાજીના ભાવ ગરીબ અને મધ્યમ વર્ગને રડાવી રહ્યા છે.

આ પણ વાંચો : તાપી ડેમની સ્થિતિ ભયજનક સમાન, ડેમના 13 ગેટ ખોલવામાં આવ્યાં, તાપી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા

આ પણ વાંચો : ગોત્રી દુષ્કર્મ કેસના આરોપી રાજુ ભટ્ટના ઘરે ક્રાઈમ બ્રાંચના દરોડા, બે કાર સહીત અન્ય વસ્તુઓ કબજે કરવામાં આવી

Follow Us:
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
g clip-path="url(#clip0_868_265)">