તાપી ડેમની સ્થિતિ ભયજનક સમાન, ડેમના 13 ગેટ ખોલવામાં આવ્યાં, તાપી કાંઠાના 22 ગામોને એલર્ટ કરાયા

Ukai Dam Tapi : ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની ભયજનક સપાટી 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 10:09 PM

TAPI : ઉપરવાસ અને ગુજરાતમાં ભારે વરસાદને પગલે ડેમ અને જળાશયો છલકાઈ ગયા છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પણ પાણીના નોંધપાત્ર જથ્થાની આવક થઈ રહી છે.જેને પગલે ઉકાઈ ડેમમાંથી તાપી નદીમાં સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમનું તંત્ર ડેમની સપાટી પર સતત ધ્યાન રાખી રહ્યું છે. સાથે જ તાપી તટે આવેલા ગામોને પણ એલર્ટ રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

ઉપરવાસમાં ભારે વરસાદને પગલે સુરતની જીવાદોરી સમાન ઉકાઈ ડેમમાં પાણીની આવક ઉત્તરોત્તર વધી રહી છે. ડેમમાં પાણીની ભયજનક સપાટી 345 ફૂટની નજીક પહોંચી ગઈ છે, ભારે વરસાદ અને ઉપરવાસમાં છોડવામાં આવતા પાણીને કારણે ઉકાઈ ડેમનું તંત્ર સતત ડેમની સપાટીનું મોનિટરીંગ કરી રહ્યું છે.. ઉકાઈ ડેમમાં 80 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.જેની સામે ઉકાઈ ડેમમાંથી 13 ગેટ ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે..

ઉકાઈ ડેમમાંથી 13 ગેટ ખોલી 1.50 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવી રહ્યું છે.જેને પગલે તાપી નદી બે કાંઠે વહી રહી છે.. જેથી તંત્રએ તાપી નદી કિનારેના 22થી વધુ ગામોને એલર્ટ કર્યા છે. તાપી કિનારે વસતા ગામના લોકોને સુરક્ષિત સ્થળે ખસી જવા માટે સૂચના આપી દેવામાં આવી છે.

આ ઉપરાંત ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાને કારમે સુરતના કોઝવેની જળસપાટીમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.. સુરત કોઝવેની જળસપાટી 8 મીટર પર પહોંચી ગઈ છે.

ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવતાં તાપી નદીમાં પાણીની આવક દર કલાકે વધી રહી છે. ત્યારે બારડોલી તાલુકાના હરિપુરા ગામે તાપી નદી પર આવેલો કોઝવે ડૂબી ગયો હતો. સીઝનમાં પ્રથમવાર આ કોઝવે પર પાણી ફરી વળ્યાં છે, જેથી કોઝવે પારનાં 10થી વધુ ગામોનો કડોદ, બારડોલી, સુરત સાથે સીધો સંપર્ક પણ કપાયો છે.

આ પણ વાંચો : રાજ્યમાં વરસાદને કારણે ભાદર, ઉકાઈ સહીતના ડેમોમાંથી પાણી છોડાયું, તો અન્ય ડેમો ઓવરફલો થયા

Follow Us:
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">