લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ ભાજપ પોતાની રણનીતિ પણ ઘડી રહી છે, ત્યારે આજથી 2 દિવસ સુધી ભાજપનું ભરતી અભિયાન શરુ થઇ રહ્યુ છે. કોંગ્રેસ તથા AAPમાંથી રાજીનામુ આપેલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે. AAPના પૂર્વ MLA ભૂપત ભાયાણી તેમના મતવિસ્તારમાં જ ભાજપમાં જોડાશે.તો કોંગ્રેસના ખંભાતના પૂર્વ MLA ચિરાગ પટેલ આવતીકાલે ભાજપમાં જોડાશે.
ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી ચુક્યા છે. અત્યાર સુધીમાં વિપક્ષના 4 ધારાસભ્ય રાજીનામું આપી ચુક્યા છે. ભૂપત ભાયાણીથી જ વિપક્ષ ધારાસભ્યોના રાજીનામાની શરુઆત થઇ હતી.ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ એક પછી એક આજે અને કાલે ભાજપમાં જોડાવાના છે.ભૂપત ભાયાણી પોતાના જ મત વિસ્તારમાં શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપમાં જોડાવાના છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ સહિતના હોદ્દેદારોને હાજરીમાં તેઓ ભાજપનો ખેસ ધારણ કરવાના છે.
આ પણ વાંચો- નર્મદા : વનકર્મીને ધમકાવવાના મામલામાં તમામ આરોપીનો જેલવાસ પૂર્ણ થયો, જુઓ વીડિયો
કોંગ્રેસના ખંભાતના પૂર્વ MLA ચિરાગ પટેલ આવતીકાલે ભાજપનો કેસરિયો ખેસ ધારણ કરવાના છે.તેઓ પણ પોતાના જ મતવિસ્તારમાંથી શક્તિ પ્રદર્શન કર્યા બાદ ભાજપમાં સામેલ થવાના છે. શક્તિ પ્રદર્શનનું કારણ એ હોય છે કે આગામી જે વિધાનસભાની પેટાચૂંટણી આવી રહી છે, તેમાં તે ઉમેદવાર તરીકે ઊભા રહેશે.આ સાથે જ સ્પષ્ટ થઇ ગયુ છે કે આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણી અને ચિરાગ પટેલ ભાજપમાંથી જ ઉમેદવારી કરવાના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 11:16 am, Sat, 3 February 24