Tamil Nadu: પહેલા સનાતનને નાબૂદ કરવાની વાત, પછી આર્ય પર હુમલો, CM સ્ટાલિનના પુત્રના નિવેદન પર હંગામો

|

Sep 03, 2023 | 12:33 PM

તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિના સનાતનના નિવેદનને લઈને હોબાળો થયો છે. તે દરમિયાન, તેણે કહ્યું કે તે તેના શબ્દો પર અડગ છે. તેમણે ડેન્ગ્યુ જેવા સનાતનને નાબૂદ કરવા જેવી વાતો કહી હતી. તેણે સ્પષ્ટ કર્યું કે તેઓ 80 ટકા વસ્તીના નરસંહાર વિશે વાત નથી કરી રહ્યા.

સનાતન ધર્મ મુદ્દે તમિલનાડુના મુખ્યપ્રધાન એમ.કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિના એક નિવેદનના કારણે વિવાદ થયો છે, ભાજપે તેના પર આકરા પ્રહાર કર્યા છે, સ્ટાલિનના પુત્ર ઉદયનિધિએ કહ્યું હતું કે, કેટલીક બાબતો નષ્ટ કરવી જોઇએ નહીં કે તેનો વિરોધ કરવો જોઇએ. ઉદાહરણ તરીકે મચ્છર, ડેન્ગ્યુ, મેલેરિયા, કોરોના.

આ પણ વાંચો: Viral Video: બાળક ભોલેનાથની ભક્તિમાં મગ્ન બન્યું, લોકોએ કહ્યું- આ છે સનાતન ધર્મના સંસ્કાર

આપણે આ બધાને નષ્ટ કરવા જોઇએ. સનાતન ધર્મ પણ આવો જ છે, આપણું પહેલુ કર્તવ્ય સનાતન ધર્મનો વિરોધ કરવાને બદલે તેનો નાશ કરવાનો હોવો જોઈએ. સનાતન શબ્દ સંસ્કૃતમાંથી લેવાયો છે. આ સમાનતા અને સામાજીક ન્યાયની વિરૂદ્ધમાં છે. સનાતનનો અર્થ જ છે કે તે બદલી ન શકાય અને તેના પર કોઇ સવાલ ન ઉઠાવી શકે.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 12:33 pm, Sun, 3 September 23

Next Video