Botad News: ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડી, ચેરમેને લગાવ્યા ગંભીર આરોપ, જુઓ Video

|

Oct 16, 2023 | 1:04 PM

બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. કોઈ ભક્તે માનતા કરવાના નામે 200ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી છેતરપિંડી કરી હોવાનો આરોપ ચેરમેન દ્વારા લગાવ્યો છે પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે.

Botad News: બોટાદ જિલ્લાના ગઢડા ગોપીનાથજી મંદિરમાં ભક્ત દ્વારા સોનાની છેતરપિંડીની ઘટના બની છે. આ મામલે ગોપીનાથજી મંદિરના ચેરમેને પ્રતિક્રિયા આપી છે. કોઈ ભક્તે માનતા કરવાના નામે 200ગ્રામ સોનું લઈને ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચો: Botad News: બે મિત્રોએ સાથે મળી કરી કાશ્મીરી કેસરની ખેતી, વર્ષે 32 લાખ રૂપિયાની કમાણી, જુઓ Video

10 ઓક્ટોબરે સોનાની છેતરપિંડીની ઘટના બની હતી. ગઢડા ગોપીનાથજી મંદિરના મહેતાજી ધીરૂભાઈ પટેલે ગઢડા પોલીસમાં આ ઘટના મામલે અરજી કરી છે. ગઢડા પોલીસે છેતરપિંડીની અરજી દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગઢડા પોલીસે છેતરપિંડી કરનાર શખ્સ શૈલેષ ઉઘાડને પૂછપરછ માટે બોલાવામાં આવ્યો છે.

પોલીસની પૂછપરછ દરમિયાન શખ્સે કબુલાત કરી પરત આપ્યું છે. ગઢડા ગોપીનાથજી મંદિરને બદનામ કરવાના હેતુથી છેતરપિંડી કરી હોવાનો આરોપ ચેરમેન દ્વારા લગાવ્યો છે. પદભ્રષ્ટ આચાર્ય ગ્રુપના ટેકેદારો દ્વારા મંદિરને બદનામ કરવાની પ્રવૃતિ કરે છે. ચેરમેન કહ્યું કે જે મંદિરમાં રહેશે અને અનાજ ખાઈને મંદિરને બદનામ કરે છે તેને ભગવાન સતબુદ્ધી આપે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

(Input Credit: Brijesh Sakariya)

Next Video