આજે ચંદ્રગ્રહણ, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ: રાશિફળ 21 જાન્યુઆરી

|

Jan 21, 2019 | 4:45 AM

મેષ આજના દિવસે તમારી સાવધાની રાખવી. કારણ કે આજે તમે ઘણાં સંવેદનશીલ અને ભાવનાત્મક હશો. કોઈ પણ વાતથી તમે દુઃખી થઈ શકો છો અને તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા તમને રહેશે. તમારા સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખો વૃષભ ગણશેજી પ્રમાણે આજે તમારી ચિંતાઓ ઓછી થશે અને ઉત્સાહ વધશે. […]

આજે ચંદ્રગ્રહણ, જાણો કેવો રહેશે આપનો આજનો દિવસ: રાશિફળ 21 જાન્યુઆરી

Follow us on

મેષ

આજના દિવસે તમારી સાવધાની રાખવી. કારણ કે આજે તમે ઘણાં સંવેદનશીલ અને ભાવનાત્મક હશો. કોઈ પણ વાતથી તમે દુઃખી થઈ શકો છો અને તમારી લાગણીઓને ઠેસ પહોંચી શકે છે. માતાના સ્વાસ્થ્યની ચિંતા તમને રહેશે. તમારા સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તેનું ખાસ ધ્યાન રાખો

વૃષભ

ગણશેજી પ્રમાણે આજે તમારી ચિંતાઓ ઓછી થશે અને ઉત્સાહ વધશે. મન પ્રફૂલ્લિત રહેશે. તમારી કલ્પનાશક્તિ પૂર્ણ રીતે ખીલવાથી સાહિત્યલેખનમાં કોઈ રચનાનું સર્જન કરશો. આજે તમને રૂચિપૂર્ણ ભોજન મળી શકે છે. ઘરમાં પરિવારજન ખાસ કરીને માતા સાથે તાલમેલમાં વૃદ્ધિ થશે. આર્થિક બાબતો પર વધુ ધ્યાન ન આપો.

મિથુન

આજે તમે થાક, વ્યગ્રતા તેમજ પ્રસન્નતાનો મિશ્રિત અનુભવ કરશો. નિર્ધારિત કાર્યો પૂર્ણ કરી શકશો. ધનસંબંધી યોજનાઓ પહેલા નષ્ટ થતી અને ત્યારબાદ પૂર્ણ થતી દેખાશે. શુભેચ્છકો તથા મિત્રોથી મુલાકાતનો પ્રસંગ બની શકે છે. વ્યવસાયના સ્થાનમાં ઉત્સાહ અને પ્રસન્નતાનો અનુભવ થશે. સહકર્મીઓનો સહયોગ મળી શકશે. પરિજનોની સાથે આનંદથી સમય પસાર થશે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

કર્ક

આજનો દિવસ આનંદિત રહેશે. શરીર અને મન બંને રીતે તમે સ્વસ્થ અને પ્રફૂલ્લિત રહેશો. પરિજન, સ્નેહીજન તેમજ મિત્રોથી સુખ અને આનંદની પ્રાપ્તિ થશે. તેમના તરફથી ભેટ મળશે. પ્રવાસ તેમજ ખાણીપીણીનું સુંદર આયોજન કરશો. સારા સમાચાર મળશે. પત્નીથી સારા સમાચાર મળશે. વૈવાહિક સુખની અનુભૂતિ થશે.

સિંહ

આજે તમે આરોગ્ય સંબંધી વિષયમાં ચિંતિત રહેશે. ચિંતાનું કારણ શારીરિક, માનસિક સ્વાસ્થ્ય બગડી શકે તે રહેશે. જરૂર વગરના વાદવિવાદને ટાળો. કોર્ટ કચેરીના કામોમાં ધ્યાન રાખો. વિદેશથી સમાચાર મળવાની શક્યતા છે. અસંયમિત વર્તન ન કરો. મહિલાઓના મામલામાં સંભાળીને રહો. આજે વધારાનો ખર્ચ થશે.

કન્યા

આપનો આજનો દિવસ લાભદાયી રહેશે. યશ, કીર્તિ તથા લાભ પ્રાપ્ત થશે. ધન પ્રાપ્તિ માટે આજનો દિવસ શુભ છે. વિશેષ કરીને સ્ત્રી મિત્રોથી લાભ મળવાના સંકેત છે. પ્રિયજનો સાથે મળીને આનંદ મળશે. વ્યાપારમાં આવકની વૃદ્ધિ થવાની શક્યતા છે. પ્રવાસનું આજે આયોજન થશે. સંતાનના શુભ સમાચાર મળશે. દામ્પત્ય જીવનમાં સુખ તેમજ સંતોષની અનુભૂતિ કરશો.

તુલા

આજનો દિવસ શુભ ફળદાયી રહેશે. તમારા ઘર તથા કાર્યાલયમાં અનુકૂળ વાતાવરણ રહેશે. નોકરી કરતા લોકો માટે પ્રમોશનની શક્યતા છે. પારિવારિક જીવનમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. ગૃહસ્થ જીવનમાં મધુરતા રહેશે. ઉચ્ચ પદાધિકારીઓ તરફથી પ્રોત્સાહન મળશે. માતાથી લાભ થશે. ઉત્તમ વૈવાહિક સુખની પ્રાપ્તિ થશે. સહકર્મીઓથી સહયોગ મળશે.

વૃશ્વિક

આજે તમે શારીરિક થાક, આળસ અને માનસિક ચિંતાની અનુભૂતિ કરશો. વ્યવસાયમાં અડચણ ઉભી થશે. સંતાનથી મતભેદ રહેશે. તમારા સ્વાસ્થ્યની ચિંતા રહેશે. આજે પ્રતિસ્પર્ધીઓથી વિવાદ ન કરો. બિનજરૂરી ખર્ચ વધશે. આજે કોઈ પણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો.

ધન

આજનો દિવસ તમારે અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ ગણેશજી આપે છે. આજે કોઈ પણ નવા કામનો પ્રારંભ ન કરશો. અત્યંત સંવેદનશીલતાના કારણે તમારી માનસિક સ્થિતિ વ્યાકુળ રહેશે. પાણીથી સાચવજો. વાણી પર સંયમ રાખજો. અનૈતિક કાર્યો અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહો. સ્વાસ્થ્યના મામલે સંભાળીને રહેજો.

મકર

તમારા વ્યાપારનો વિસ્તાર થશે. દલાલી, કમિશન, વ્યાજ જેવા સ્ત્રોતોથી આવક વધશે તેમ ગણેશજી કહે છે. ધનલભાનો પ્રબળ યોગ છે. સંતાનના અભ્યાસના વિષયમાં ચિંતિત રહેશો. કાર્યોમાં સફળતા મળશે. વિચારોમાં થોડી દુવિધા અને અસ્થિરતા રહેશે. વિપરીય લિંગની વ્યક્તિઓથી મળવા ફરવાનું થશે. નવા વસ્ત્રોની ખરીદી કરી શકો છો.

કુંભ

કાર્યની સફળતા માટે આજનો દિવસ શુભ છે તેમ ગણેશજી કહે છે. આજે કરેલા કામોના કારણે તમે યશસ્વી બનશો તથા કીર્તિમાં વૃદ્ધિ થશે. પરિજનો સાથે સારો સમય પસાર થશે. ઘરનું વાતાવરણ સારું રહેશે. તન-મન પ્રફૂલ્લિત રહેશે. કાર્યસંબંઘી ધનનો વ્યય થશે.

મીન

વિદ્યોપાર્જન કરતા લોકો સારું પ્રદર્શન કરી શકશે. પ્રેમ માટે સારો દિવસ છે. પાણીથી આજે સંભાળીને રહેજો. સ્વભાવ પર સંયમ રાખો. માનસિક સંતુલન બનાવી રાખવાની સલાહ ગણેશજી આપે છે.

[yop_poll id=707]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article