આ તો ન ભૂતો ન ભવિષ્યતિ યાત્રા ! જાણો 12 જ્યોતિર્લિંગ રામકથામાં જોડાયેલા ભક્તો કેમ થયા ભાવવિભોર ?

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે ત્યારે, આજે ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે ત્રીજા દિવસની કથાનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની આ "12 જ્યોતિર્લિંગ રામકથા" એ ટ્રેનના માધ્યમથી થઈ રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 25, 2023 | 4:35 PM

પ્રસિદ્ધ રામકથાકાર મોરારીબાપુ હાલ 12 જ્યોતિર્લિંગ ધામમાં રામકથા કરી રહ્યા છે ત્યારે, આજે ઝારખંડના વૈદ્યનાથ જ્યોતિર્લિંગના સાનિધ્યે ત્રીજા દિવસની કથાનું આયોજન થયું હતું. ઉલ્લેખનીય છે કે મોરારીબાપુની આ “12 જ્યોતિર્લિંગ રામકથા” એ ટ્રેનના માધ્યમથી થઈ રહી છે. ત્યારે કૈલાસ ભારત ગૌરવ ટ્રેન અને ચિત્રકૂટ ભારત ગૌરવ ટ્રેનના માધ્યમથી ભક્તો ઝારખંડ પહોંચ્યા હતા.

અહીં વૈદ્યનાથ જ્યોતિર્લિંગના દર્શન કરી શ્રદ્ધાળુઓએ ધન્યતાની અનુભૂતિ કરી હતી. સાથે જ ત્રીજા દિવસની રામકથાના શ્રવણનો લાભ મેળવી ભક્તો ભાવવિભોર બની ગયા હતા. એક તરફ ભક્તોને 12 જ્યોતિર્લિંગના દર્શનનો લાભ મળી રહ્યો છે, તો બીજી તરફ શિવજીના સાનિધ્યે શ્રીરામની મહિમાનું ગાન સાંભળીને ઘણાં ભાવિકો ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા.

યાત્રા મહિમા

ઘણાં ભાવિકો આ અદભુત યાત્રાને ન ભૂતો ન ભવિષ્યતિ યાત્રા ગણાવી રહ્યા છે. આ સંપૂર્ણ યાત્રાનો મહિમા જ એ છે કે આ સમગ્ર યાત્રા ટ્રેનના માધ્યમથી થઈ રહી છે. આ માટે કૈલાસ ભારત ગૌરવ અને ચિત્રકૂટ ભારત ગૌરવ નામની બે વિશેષ ટ્રેનની વ્યવસ્થા કરાઈ છે.

આ ટ્રેનોને દ્વાદશ જ્યોતિર્લિંગ મંદિરો, સનાતન ધર્મના મુખ્ય મંદિરો, તિરુપતિ બાલાજી મંદિર અને મોરારીબાપુના ગામ તલગાજરડાના દૃશ્યોથી સજાવાઈ છે. આ ખાસ ટ્રેનમાં 1008 શ્રદ્ધાળુઓ યાત્રાનો લાભ લઈ રહ્યા છે. સમગ્ર યાત્રા 9 રાજ્યોમાંથી પસાર થવાની છે. જેમાં લગભગ 12,000 કીલોમીટરનું અંતર કાપી ભક્તો રામકથાનો આનંદ લઈ રહ્યા છે.

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">