149 વર્ષ પછી ગુરુપૂર્ણિમાના પાવન પર્વે જ ચંદ્રગ્રહણનો ખાસ યોગ રચાયો છે. આ વર્ષનું અંતિમ ગ્રહણ છે. ચંદ્રગ્રહણ 17 જૂલાઈએ વહેલી સવારે 1.31 મિનિટથી શરૂ થઈને અંદાજે 4.30 મિનિટ સુધી ચાલશે. આ ચંદ્રગ્રહણ ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, આફ્રિકા અને યુરોપમાં પણ દેખાવવાનું છે. ચંદ્રગ્રહણના 9 કલાક પહેલાં સૂતક લાગી જાય છે. એટલે આ ગ્રહણના સમયગાળા દરમિયાન કોઈ શુભકાર્ય થઈ શકતા નથી.
આ પણ વાંચોઃ VIDEO: અષાઢ મહિનાની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુપૂજનની સાચી રીત વિશે જાણો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ચંદ્રગ્રહણ દરમિયાન પૂજા-પાઠ અને મંત્રજાપ કરવાથી અનેકગણુ પુણ્ય મળે છે. તો મંદિરોમાં દર્શન થઈ શકતા નથી. રાજ્યમાં ચંદ્રગ્રહણના પગલે અંબાજી, દ્વારકાધીશ, સોમનાથ, શામળાજીમા મંદિર આજે સાંજથી જ બંધ થઈ જશે. ચંદ્રગ્રહણના પડછાયાની ખરાબ અસરો પણ થઈ શકે છે. સુનામી, ભૂકંપ જેવી કુદરતી આફતો આવવાની પણ શક્યતા રહેલી છે. આ પૂર્વે ગુરૂપૂર્ણિમા અને ચંદ્રગ્રણનો આવો અદભૂત સંયોગ 12 જુલાઈ 1870માં રચાયો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
[yop_poll id=”1″]