ભારતને કૃષિપ્રધાન દેશ (Agricultural country) ગણવામાં આવે છે. ભારતના GDPમાં કૃષિનો ફાળો 17 થી 18 ટકા છે. આવી સ્થિતિમાં નાના ખેડૂતોની મદદ કરવા માટે કેન્દ્ર સરકારે (Central Government) પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી. આ યોજના હેઠળ ખેડૂતો (Farmers) ના ખાતામાં દર વર્ષે 6 હજાર રૂપિયાની આર્થિક સહાય (Financial aid) આપવામાં આવે છે. આ 6 હજાર રૂપિયા 2 હજાર રૂપિયાના ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર સ્કીમ (Direct Benefit Transfer Scheme) દ્વારા ખેડૂતોના ખાતામાં પૈસા જમા થાય છે. આ મહિનામાં એટલે કે એપ્રિલમાં આ યોજનાનો 11મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે. જો તમે PM કિસાન સન્માન નિધિ યોજના (PM Kisan Sanman Nidhi Yojana) ના ખાતામાં હજુ સુધી e-KYC નથી કર્યું,, તો તમને આગામી હપ્તાનો લાભ નહીં મળે.
આવી સ્થિતિમાં હવે તમારે તરત જ પીએમ કિસાન પોર્ટલ (PM Kisan Portal) પર જઈ અને તમારા એકાઉન્ટનું ઇ-કેવાયસી કરાવવું જોઈએ. મોબાઈલ કે લેપટોપની મદદથી ઈ-કેવાયસીની પ્રક્રિયા સરળતાથી પૂર્ણ કરી શકાય છે. તો ચાલો જાણીએ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના પોર્ટલ દ્વારા ઈ-કેવાયસી કરવાની રીત વિશે.
PM કિસાન સન્માન નિધિ યોજનામાં KYCની પ્રક્રિયા પૂર્ણ કરવા માટે
આ યોજના હેઠળ તમારું નામ અને યોજનાના લાભ અંગેના સ્ટેટસને જો તમે ચેક કરવા માંગતા હોવ તો તે પણ તમે સરળતાથી ચેક કરી શકો છો. તેના માટે..
આ યોજનાના મળતા લાભ અંગે કોઈ પણ ફરીયાદ હોય તો તમે કેટલાક ટોલ ફ્રી અને હેલ્પલાઈન નંબર પર કોલ કરી શકો છો જેમાં..
– પીએમ કિસાન ટોલ ફ્રી નંબર: 1800-1155266
– પીએમ કિસાન હેલ્પલાઈન નંબર: 155261
– પીએમ કિસાન લેન્ડલાઇન નંબર્સ: 011-23381092, 011-23382401
– PM કિસાનની નવી હેલ્પલાઇન: 011-24300606
– પીએમ કિસાનની બીજી હેલ્પલાઇન છે: 0120-6025109
– ઈ-મેલ આઈડી: pmkisan-ict@gov.in
આ પણ વાંચો : Kam Ni Vaat: જનધન એકાઉન્ટથી આપ મેળવી શકો છો અનેક લાભ, જાણો કેવી રીતે ખોલાવશો એકાઉન્ટ, શું છે તેના ફાયદા
આ પણ વાંચો : Kam Ni Vaat: ઈન્ટરનેટ, સ્માર્ટફોન વગર જ હવે કરી શકશો UPI પેમેન્ટ, RBIએ લોન્ચ કરી નવી સર્વિસ