Balasore Train Accident: શબઘરમાં પુત્રને શોધી રહ્યા છે પિતા, Viral Video જોઈને આંસુ આવી જશે

|

Jun 04, 2023 | 7:36 PM

Balasore Train Accident: બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે અને 1000થી વધુ લોકો ઘાયલ છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સરકારે ઘાયલોના સ્વજનો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે, જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Balasore Train Accident: શબઘરમાં પુત્રને શોધી રહ્યા છે પિતા, Viral Video જોઈને આંસુ આવી જશે
બાલાસોર ટ્રેન અકસ્માત

Follow us on

ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટના બાદ કેટલીક એવી તસવીરો સામે આવી રહી છે, જેને જોઈને દરેક માટે વિશ્વાસ કરવો મુશ્કેલ છે. જે કોઈ પણ આવી તસવીરો કે વાઈરલ વીડિયો જોઈ રહ્યા છે તેના મનમાં વારંવાર એક જ સવાલ આવી રહ્યો છે કે ઉપરોક્ત વ્યક્તિએ આવું કેમ કર્યું ? આ દર્દને કોઈ શબ્દોમાં વ્યક્ત કરી શકે તેમ નથી. એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક પિતા પોતાના પુત્રને શોધવા માટે દરેક લાશને જોઈ રહ્યો છે અને તેની આંખોમાંથી આંસુ અટકવાનું નામ નથી લઈ રહ્યા.

પિતાનો પોતાના પુત્રનો મૃતદેહ શબઘરમાં શોધવાનો વીડિયો સર્વત્ર વાયરલ થઈ રહ્યો છે. આ ભયાનક ટ્રેન દુર્ઘટના બાદ ભદ્રક જિલ્લાના સુગો ગામનો એક પિતા ઉતાવળમાં બાલાસોર પહોંચ્યો અને શબઘરમાં પોતાના પુત્રને શોધવા લાગ્યો. આ દરમિયાન એક યુવકે તેને પૂછ્યું કે દાદા, તમે કોને શોધી રહ્યા છો, જેના જવાબમાં તેણે કહ્યું કે તેનો દીકરો. તે કોરોમંડલ ટ્રેનમાં હતો. તેમનો પુત્ર હજુ સુધી મળ્યો નથી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

અકસ્માત બાદ ઘણા લોકો તેમના સ્વજનોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. મૃતદેહોની ઓળખ કરવામાં અસમર્થ. ઘણા હજુ પણ ગુમ છે, જેમનો કોઈ સુરાગ મળી રહ્યો નથી. વહીવટીતંત્ર દ્વારા તમામ મૃતદેહોના ફોટોગ્રાફ્સ એક જગ્યાએ રાખવામાં આવ્યા છે જેથી કરીને સંબંધીઓ મૃતદેહોની ઓળખ કરી શકે. શબઘરમાં સર્વત્ર ચીસો અને પીડા સિવાય કશું દેખાતું નથી. ખબર નહીં કેટલાએ પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે.

આ પણ વાંચો: Breaking News : બાલાસોર ટ્રેન અકસ્માતની તપાસ CBI કરશે, રેલવે મંત્રીએ જાહેરાત કરી

બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા હતા

સત્તાવાર આંકડાઓ અનુસાર, બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં 275 લોકોના મોત થયા છે અને 1000 થી વધુ લોકો ઘાયલ છે, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. સરકારે ઘાયલોના સ્વજનો માટે સ્પેશિયલ ટ્રેન ચલાવવાની જાહેરાત કરી છે જેથી તેમને કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો ન કરવો પડે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય રેલ્વે મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે ગુનેગારોને કોઈપણ કિંમતે છોડવામાં આવશે નહીં. તેમને આકરી સજા થશે. સમગ્ર અકસ્માત અંગે ઉચ્ચ સ્તરીય તપાસ ચાલી રહી છે.

કોરોમંડલ એક્સપ્રેસ ટ્રેન અકસ્માતના અન્ય સમાચાર જાણવા અહીં ક્લિક કરો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 7:33 pm, Sun, 4 June 23

Next Article