સાંસદ મનસુખ વસાવાની જેમ તમારો પણ ફોન કે સામાન ટ્રેનમાં ચોરાઈ જાય તો, ટ્રેનમાં ફરિયાદ નોંધાવવા માટે જાણી લો તમામ માહિતી

|

May 21, 2022 | 2:44 PM

જો તમારો ફોન (Mobile Phone) કે અન્ય કોઈ સામાન ટ્રેનમાં (Train) ચોરાઈ જાય તો કેવી રીતે ફરિયાદ કરશો તે અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે.

સાંસદ મનસુખ વસાવાની જેમ તમારો પણ ફોન કે સામાન ટ્રેનમાં ચોરાઈ જાય તો, ટ્રેનમાં ફરિયાદ નોંધાવવા માટે જાણી લો તમામ માહિતી
Know all the information to lodge a complaint in the train

Follow us on

જો તમારો ફોન (Mobile Phone) કે અન્ય કોઈ સામાન ટ્રેનમાં (Train) ચોરાઈ જાય તો કેવી રીતે ફરિયાદ કરશો તે અંગેની તમામ માહિતી અહીં આપવામાં આવી છે. તાજેતરમાં જ સાંસદ મનસુખ વસાવાનો ફોન વીઆઇપી કોચમાંથી ચોરાઈ  ગયો હતો. આ અંગે તેમણે રેલવે બોર્ડને ફરિયાદ કરી હતી. ત્યારે તપાસમાં છેલ્લે તેમના ફોનનું લોકેશન કોટા રાજસ્થાનનું હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સાસંદે રાજસ્થાનમાં પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું હતુ.  હવે જો એક સામાન્ય નાગરિક તરીકે તમારો ફોન કે સામાન ચોરાય તો તમે શું કરશો ….. જો તમારો ફોન કે અન્ય સામાન ચોરાયો હોય તો તમે ટ્રેનમાં બેઠા બેઠા જ આ રીતે ફરિયાદ નોંધાવી શકો છો.

 આ રીતે નોંધાવી શકો છો ફરિયાદ

1. ટ્રેનની ચાલુ મુસાફરીએ કોઈ ચોરાઈ જાય તો તમે ચોક્કસ રીતે ફરિયાદ નોંધાવી શકો છો.

2. મુસાફરી દરમિયાન ચાલતી ગાડીમાં લૂંટ થવા જેવી ઘટના બને તો તમે ટ્રેનના કંડક્ટર, કોચ કે પરિચાલક, ગાર્ડ અથવા તો જીઆરપી કર્મીનો સંપર્ક કરી શકો છો.

જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024

3. તે તમને એફઆઇઆર ફોર્મ આપશે, જે ભરીને તમે પરત કરી શકો છો. તમારી ફરિયાદ જરૂરી કામગીરી માટે પોલીસ સ્ટેશનમાં સોંપી શકો છો.

4. તમારે પોલીસ પાસે ફરિયાદ નોંધાવવા તમારી મુસાફરી રોકવાની જરૂર નથી. મુખ્ય રેલેવે સ્ટેશન પર ફરિયાદ નોંધાવવામાં સહાયતા કરવા માટે તમે આરપીએફ સહાયતા બૂથ ઉપર પણ સંપર્ક કરી શકો છો.

સામાનની ચોરી કે સામાનને નુકસાન થવું

1. ચાલુ ટ્રેનમાં સામાન ચોરી થાય તો ટીટી કે ગાર્ડ પાસેથી ચોક્કસ ફોર્મ લઇને તમે તમારી ક્ષેત્રીય ભાષામાં આ ફોર્મ ભરી શકો છો.

2. આ ફોર્મ ટીટીઇ, ગાર્ડ અથવા તો તૈનાત જીઆરપી કર્મચારી પાસે ઉપલબ્ધ હોય છે.

3. આ ફોર્મ ભર્યા બાદ કોઈ પણ જીઆરપી કર્મચારી, ટીટીઇ કે ગાર્ડને કહીને આગલા પોલીસ સ્ટેશન પર નોંધાવવા માટે સોંપવામાં આવી શકે છે.

4. આ બધી જ સેવાઓ માટે તથા પ્રતિબદ્ધતા માટે નાગરિકોએ કોઈ જ નાણાં આપવાની જરૂરિયાત રહેતી નથી.

5. આ માટેના ખાસ વેબપોર્ટલ ઉપર પણ જઈને તમે ફરિયાદ નોંધાવી શકો છો.

6. http://www.coms.indianrailways.gov.in/ અને મોબાઇલ એપ પણ ડાઉનલોડ કરી શકો છો.

7. http://www.coms.indianrailways.gov.in/ ઉપર જઇને તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

રેલવે પોલીસ દ્વારા ચલાવાવમાં આવી રહ્યું છે ઓપરેશન અમાનત

રેલવે પોલીસે લોકોના ખોવાયેલા સામાનને મેળવવા માટે ઓપરેશન અમાનત નામનું એક અભિયાન શરૂ કર્યું છે. તે હેઠળ રેલવે પોલીસ કોઈ પણ મળેલા સામાનને પોતાની પાસે રાખી લે છે અને તેનો ફોટો અપલોડ કરે છે આ સ્થિતિમાં તમે રેલવે સ્ટેશન પરથી સામાન મેળવી શકો છો. અને હકદાવો રજૂ કરી તમારો સામાન પરત મેળવી  શકો છો

Published On - 2:32 pm, Sat, 21 May 22

Next Article