બનતી બિલ્ડિંગને શા માટે લીલા કાપડથી જ ઢાંકવામાં આવે છે? તમને પણ જવાબ ખબર નહીં હોય, જાણો

|

May 13, 2021 | 3:43 PM

બિલ્ડીંગ આજુબાજુ લીલા કલરનો પડદો લગાવવામાં આવે છે. લીલો કાપડથી બિલ્ડિંગ ઢંકાઈ રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશને સ્પર્શતી ઇમારતો લીલા કપડાથી કેમ ઢાંકવામાં આવે છે?

બનતી બિલ્ડિંગને શા માટે લીલા કાપડથી જ ઢાંકવામાં આવે છે? તમને પણ જવાબ ખબર નહીં હોય, જાણો
File Image

Follow us on

શહેરોમાં, આપણે જોઈ શકીએ કે ઉંચી ઇમારતો બનાવવામાં આવી રહી છે. મોટી ક્રેન અને મશીનોની મદદથી ઇમારતો બનાવવામાં આવ્વે છે. બિલ્ડિંગની આજુબાજુના મશીનો જોતા હોઈએ છીએ, પછી આપણને ખ્યાલ આવે છે કે આ બિલ્ડિંગ બનાવવામાં આવી રહી છે. પરંતુ તમે બીજી વસ્તુ પણ જોઈ હશે. બિલ્ડિંગ આજુબાજુ લીલા કલરનો પડદો લગાવવામાં આવે છે. લીલો કાપડથી બિલ્ડિંગ ઢંકાઈ રહે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આકાશને સ્પર્શતી ઇમારતો લીલા કપડાથી કેમ ઢાંકવામાં આવે છે. જો આ ખબર નથી, તો અમે તમારા માટે આ બધી માહિતી લઈને આવ્યા છીએ.

લીલી કાપડથી ઢંકાયેલા બિલ્ડિંગના નિર્માણ પાછળનું કારણ છે કે ઊંચાઈ પર કામ કરતા કામદારનું ધ્યાન ભટકે નહીં અથવા આવી ઊંચાઈને જોઇને અચાનક તેનું ધ્યાન ભંગ ન થવું જોઈએ. આ તેના માટે જીવલેણ સાબિત થઈ શકે છે.

વળી બહારના લોકો પણ ઉંચી ઇમારત તરફ નજર રાખે છે. આવી સ્થિતિમાં ત્યાં કામ કરતા લોકો પર કોઈ પણ પ્રકારનું માનસિક દબાણ ન હોવું જોઈએ. તેથી જે બિલ્ડીંગ બનાવતા સમયે તેને લીલા કાપડથી ઢાંકવામાં આવે છે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

સૌથી મોટું કારણ છે!

જ્યાં પણ બિલ્ડિંગ બને છે છે ત્યાં બાંધકામ સ્થળ પર મોટી સંખ્યામાં રેતી અને સિમેન્ટનો ઉપયોગ થાય છે. આને કારણે, નજીકમાં રહેતા લોકો માટે તે એક મોટી સમસ્યા બની જાય છે. લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો ન પડે , તેથી લીલા કપડાથી ઇમારત ઢાંકવામાં આવે છે. જેથી તેમાંથી નીકળતી ધૂળ અને કચરો બહાર ન આવી શકે.

કેમ રંગ લીલો?

હજી સુધી પ્રશ્ન તમારા મગજમાં થતો હોવો જ જોઇએ કે ઇમારત કેમ લાલ અને સફેદ કાપડથી કેમ ઢાંકવામાં નથી આવતી? શા માટે રંગ લીલો છે? તો આનો સરળ જવાબ એ છે કે લીલો રંગ દૂરથી દેખાય છે. ઉપરાંત, રાત્રે તે સહેજ પ્રકાશમાં પણ પ્રતિબિંબિત થાય છે. તેથી જ બનાવવામાં આવી રહેલી ઇમારતો લીલા કપડાથી ઢાંકવામાં આવે છે. લાલ અને સફેદ રંગ આંખમાં વધુ પ્રકાશ ફેંકે છે જે હાનીકારક હોય છે.

તેથી જ્યાં પણ મોટી ઇમારતો બનાવવામાં આવે છે અને તેની આજુબાજુની વસ્તી હોય છે, ત્યાં લીલા કપડાથી ઇમારત સંપૂર્ણપણે ઢંકાયેલ હોય છે. જેથી બીજા કોઈને પણ આની તકલીફ ન પડે.

 

આ પણ વાંચો: જો તમે બે અલગ અલગ વેક્સિનના ડોઝ લઇ લો તો શું થશે? જાણો શું કહે છે રિસર્ચ

આ પણ વાંચો: વેક્સિન મુદ્દે રાજ્યો આમને સામને! અરવિંદ કેજરીવાલે કહ્યું “ભારતની છબી ખરાબ થઇ રહી છે.”

Next Article