WhatsApp હવે ફેક ન્યૂઝ અને હેરાન કરનારા સમાચાર ફેલાવનારાઓ સામે સતર્ક થઇ ગયુ છે અને સતત કડક પગલાં લઈ રહ્યુ છે. ફેસબુકની (Facebook) માલિકીની કંપની વોટ્સએપે ઓક્ટોબર મહિનામાં 20 લાખથી વધુ એકાઉન્ટ્સ બંધ કર્યા છે.
WhatsAppએ નવા IT નિયમોનું પાલન કરવાનું શરૂ કરી દીધું છે. આ નિયમો હેઠળ વ્હોટ્સએપને સબ્સ્ક્રાઇબર્સ તરફથી 500 ફરિયાદો મળી છે. વોટ્સએપે એક રિપોર્ટમાં જણાવ્યું છે કે ઓક્ટોબર મહિનામાં પ્લેટફોર્મ પર 2,069,000 ભારતીય એકાઉન્ટને પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. વોટ્સએપનું કહેવું છે કે ભારતીય યુઝર્સના એકાઉન્ટની ઓળખ +91 ફોન નંબર દ્વારા થાય છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્ટેડ મેસેજિંગ સેવાઓ વચ્ચે દુરુપયોગને રોકવામાં WhatsApp મોખરે છે. કંપનીએ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)માં સતત રોકાણ કર્યું છે. આ ઉપરાંત, કંપનીએ અન્ય અત્યાધુનિક ટેકનોલોજી, ડેટા વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોમાં રોકાણ કર્યું છે. કંપનીનો હેતુ તેના વપરાશકર્તાઓને સુરક્ષા પ્રદાન કરવાનો છે.
WhatsAppનું કહેવું છે કે નવા IT નિયમો (IT Rules 2021)ને અનુસરીને ઓક્ટોબર મહિના માટે આ પાંચમો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં વપરાશકર્તાની ફરિયાદો અને સંબંધિત કાર્યવાહીની વિગતો સામેલ છે. સરેરાશ, WhatsApp દર મહિને તેના પ્લેટફોર્મ પર 8 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ પર ગેરવર્તણૂક માટે પ્રતિબંધ મૂકે છે. ભારતમાં 20 લાખથી વધુ ખાતાઓ પર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો –
આ પણ વાંચો –
આ પણ વાંચો –