Laughing Buddha : શું તમે રાખી છે ક્યારેય ગોળમટોળ ચહેરાવાળી લાફિંગ બુદ્ધની પ્રતિમા? જાણો તેના હાસ્ય પાછળનું કારણ, Watch video

|

Oct 20, 2024 | 12:48 PM

Laughing Buddha : લોકો પોતાના મિત્રો સાથે હોય ત્યારે આનંદમય સમય વિતાવે છે અને જીવનનો સંપૂર્ણ આનંદ માણે છે. હસવું આપણને વધુ પોઝિટિવ બનાવે છે. એટલા માટે હસવું ખૂબ જ જરૂરી છે. હાસ્ય સાથે જોડાયેલી છે લાફિંગ બુદ્ધાની પ્રતિમા? શું તમને ક્યારેય એવો વિચાર આવ્યો છે કે લાફિંગ બુદ્ધાની મૂર્તિ કેમ ખાસ છે, તેઓને કેમ હસતા દર્શાવામાં આવે છે.

Laughing Buddha : શું તમે રાખી છે ક્યારેય ગોળમટોળ ચહેરાવાળી લાફિંગ બુદ્ધની પ્રતિમા? જાણો તેના હાસ્ય પાછળનું કારણ, Watch video
laughing buddha laughter story

Follow us on

આસપાસ પોઝિટિવ એનર્જી મેળવવા માટે લોકો તેમના ઘરો અને ઓફિસોમાં લાફિંગ બુદ્ધાની નાની અને મોટી મૂર્તિઓ રાખે છે. તમે પણ લાફિંગ બુદ્ધાની આવી મૂર્તિ ઘણા ઘરો કે દુકાનોમાં જોઈ હશે અથવા કદાચ તમારા ઘરમાં પણ ગોળમટોળ લાફિંગ બુદ્ધાની મૂર્તિ હોય. લાફિંગ બુદ્ધાની પ્રતિમા પણ સારા નસીબ અને સુખ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલી છે. પરંતુ શું તમે જાણો છો કે લાફિંગ બુદ્ધ કોણ હતા અને તે હંમેશા હસતા કેમ રહે છે?

લાફિંગ બુદ્ધાની સ્ટોરી જાણવી પણ મહત્વપૂર્ણ છે. કારણ કે લોકોને હસાવવું અને તેમને ખુશ જોવું એ તેમના જીવનનો એકમાત્ર ઉદ્દેશ્ય હતો. ચાલો લાફિંગ બુદ્ધાના હાસ્યનું રહસ્ય જાણીએ.

લાફિંગ બુદ્ધાને ભગવાનની જેમ પૂજવામાં આવે છે

ચીનમાં લોકો લાફિંગ બુદ્ધાને ભગવાનની જેમ પૂજે છે. ફેંગશુઈ અનુસાર જ્યાં તેની મૂર્તિ રહે છે ત્યાંથી નકારાત્મકતા દૂર થઈ જાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. ભગવાન કુબેરને ભારતીય સભ્યતામાં ચીનમાં લાફિંગ બુદ્ધા જેવું જ સ્થાન છે. તેમને સંપત્તિના દેવતા માનવામાં આવે છે. તેથી જ તેમની સાથે એક પોટલી હંમેશા જોવા મળે છે.

ખાલી પેટ લીમડાનો રસ પીવાથી જાણો શું થાય છે?
લગ્નના 6 વર્ષ બાદ અભિનેત્રી માતા બની, જુઓ ફોટો
Carrot : માત્ર એક કાચું ગાજર છે અનેક રોગોની દવા, જાણો તેના વિશે
શિયાળામાં કરો શિંગોડાનું સેવન,સ્વાસ્થ્ય માટે છે લાભદાકારક
આજનું રાશિફળ તારીખ 20-10-2024
માથાનો દુખાવો મિનિટોમાં જ થઈ જશે દૂર, અપનાવો આ ઘરેલુ ઉપચાર

જુઓ વીડિયો

લાફિંગ બુદ્ધા અને તેમના હાસ્યની વાર્તા

ચીની સંસ્કૃતિ સાથે જોડાયેલી માન્યતાઓ અનુસાર લાફિંગ બુદ્ધ મહાત્મા બુદ્ધના અનેક શિષ્યોમાંના એક હતા. તેનું નામ હોતેઇ હતું જે જાપાનનો હતો. એવું કહેવાય છે કે જ્યારે હોતેઇ બૌદ્ધ બન્યા અને જ્ઞાન પ્રાપ્ત કર્યું, ત્યારે તે જોરથી તે હસવા લાગ્યા હતા.

આ પછી હોતેઈ જ્યાં પણ જતા ત્યાં લોકોને હસાવતા અને ખુશ કરતા. તેમણે લોકોને હસાવવા અને ખુશ કરવા તેમના જીવનનો ઉદ્દેશ્ય બનાવ્યો. આ રીતે તેમનું નામ લાફિંગ બુદ્ધા રાખવામાં આવ્યું.

(ડિસ્ક્લેમર : ઉપરોક્ત આપેલી જાણકારી વાસ્તુમાં આપેલી માહિતીના આધારે લેવામાં આવી છે. TV 9 ગુજરાતી તેની પુષ્ટી કરતું નથી.)

Next Article