કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?

|

Jan 30, 2020 | 1:03 PM

ચીનમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી ગયો છે. અન્ય વ્યક્તિઓને ચેપ ના લાગે તે માટે અલગ હોસ્પિટલ ચીન ખાતે બનાવવામાં આવી રહી છે. આ તમામ ખબરોની વચ્ચે તમે એક શબ્દ સાંભળ્યો હશે. કોરોના વાઈરસની સુરક્ષાને લઈને એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે આ થર્મલ સ્કેનર કામ કરે છે […]

કોરોનાનો કહેર: જાણો થર્મલ સ્કેનરની મદદથી કેવી રીતે વાઈરસની જાણ થાય છે?

Follow us on

ચીનમાં કોરોના વાઈરસના લીધે હાહાકાર મચી ગયો છે. અન્ય વ્યક્તિઓને ચેપ ના લાગે તે માટે અલગ હોસ્પિટલ ચીન ખાતે બનાવવામાં આવી રહી છે. આ તમામ ખબરોની વચ્ચે તમે એક શબ્દ સાંભળ્યો હશે. કોરોના વાઈરસની સુરક્ષાને લઈને એરપોર્ટ પર થર્મલ સ્કેનર લગાવવામાં આવ્યા છે. અમે તમને જણાવીશું કે કેવી રીતે આ થર્મલ સ્કેનર કામ કરે છે અને તેના લીધે કેવી રીતે વાઈરસની જાણકારી મેળવી શકાય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

આ પણ  વાંચો :   કોણ છે એ યુવક જેને જામિયામાં CAAના વિરોધ પ્રદર્શન દરમિયાન કર્યું ફાયરિંગ, જુઓ PHOTOS


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

પ્રસિદ્ધ વૈજ્ઞાનિક એન કોલિને જણાવ્યું કે આ સ્કેનર સ્વસ્થ વ્યક્તિ અને વિષાણુ ગ્રસ્ત વ્યક્તિમાં રહેલાં અંતરને સ્પષ્ટ કરી દે છે. થર્મલ સ્કેનરની ખાસ વાત એ છે કે આ સ્કેનરમાંથી જે પણ તરંગો નીકળે છે તેની માનવશરીર પર કોઈ જ અસર થતી નથી. જો કે આ સ્કેનરનો ઉપયોગ કોઈ નિષ્ણાંત દ્વારા જ થવો જોઈએ. આમ વૈજ્ઞાનિક કોલિનના જણાવ્યા અનુસાર સ્કેનર દ્વારા કોઈ વાઈરસ વિશે પ્રાથમિક જાણકારી મેળવી શકાય છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ડૉ. હર્ષવર્ધન જે દેશના સ્વાસ્થ્ય મંત્રી છે તેને પણ આ સ્કેનર અંગે લોકોમાં જાગૃકતા આવે તે અંગે વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે આ પ્રક્રિયામાં જે લોકો વિદેશથી આવી રહ્યાં છે તેની તપાસ સ્કેનરના માધ્યમથી કરવામાં આવે છે. જો કોઈ વ્યક્તિના શરીરનું તાપમાન વધારે જણાઈ તો સ્કેનરમાં દેખાઈ આવે છે. તેના આધારે તે વ્યક્તિને અન્ય શારીરિક તબીબી તપાસ માટે મોકલવામાં આવે છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતમાં આ કોરોના વાઈરસગ્રસ્ત કોઈ આવી ન જાય અને તેનો ફેલાવો વધારે ના થાય તે માટે 20 એરપોર્ટ પર આવા સ્કેનર લગાવવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 38 હજાર લોકોની સફળતાપૂર્વક તપાસ કરાઈ હોય તેવી પણ જાણકારી મળી રહી છે. કોરોના વાઈરસ જો કોઈના શરીરમાં હોય તો તેના લીધે શરીરનું તાપમાન વધી જાય છે. આથી જો તે વ્યક્તિ સ્કેનરમાંથી પસાર થાય તો શરીરના વધેલાં તાપમાનની જાણકારી સ્કેનર તરત જ આપી દે છે. આથી તે મુસાફરની વધુ તબીબી તપાસ કરવામાં આવે છે અને જરૂર પડે તેને સારવાર માટે દાખલ કરાઈ છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article