ચંદ્રયાન-2 મિશનને મળી મોટી સફળતા, ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઈડ્રોક્સિલની હાજરી પાક્કી

મળતી માહિતી અનુસાર ઈસરો (ISRO) આવતા વર્ષે થનાર બીજા મિશનના ઉત્તરાધિકારી ચંદ્રયાન-3ને લોન્ચ કરવા માટે તૈયાર છે.

ચંદ્રયાન-2 મિશનને મળી મોટી સફળતા, ચંદ્ર પર પાણીના મોલેક્યૂલ અને હાઈડ્રોક્સિલની હાજરી પાક્કી
Chandrayaan-2
| Edited By: | Updated on: Aug 11, 2021 | 6:21 PM

ચંદ્રયાન-2 મિશન (Chandrayan 2 Mission) તેના ઓર્બિટરની મદદથી નવી શોધ કરવા તરફ અગ્રેસર છે, તે વર્તમાનમાં ચંદ્રમાની પરિક્રમા કરી રહ્યું છે. ઈસરો દ્વારા શરૂ કરવામાં આવેલો આ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે. ચંદ્રમાં પર હાઈડ્રોક્સિલ અને પાણીના મોલેક્યૂલ વિશેની જાણકારી મળી આવી છે. ચંદ્રયાન-2 મિશન 2019માં ચંદ્રના દૂર દૂરના વિસ્તાર વિશેની જાણકારી મેળવવા માટે લોન્ચ કરવામાં આવ્યું હતુ.

 

 

જો કે ચંદ્રયાન-2 મિશનના રોવરનો ચંદ્ર પર અંત આવ્યો હતો. મિશનનો રોવર ભાગ ત્યારે પૂર્ણ થઈ ગયો, જ્યારે તે સપાટી પર પહોંચતા જ દુર્ઘટનાગ્રસ્ત થયો હતો. જેમાં રોવર અને લેન્ડર દુર્ઘટનામાં બચ્યા ન હતાં. ઓર્બિટર હજી સુધી ચંદ્રની ઉપર ફરી રહ્યું છે, જેની મદદથી નવી શોધ કરવામાં આવી રહી છે. મળતી માહિતી અનુસાર ઈસરો આવતા વર્ષે થનાર બીજા મિશનના ઉત્તરાધિકારી ચંદ્રયાન-3ને લોન્ચ કરવા માટે તૈયાર છે.

 

 

દહેરાદૂનમાં ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ રિમોટ સેન્સિંગ (IIRS)ના વૈજ્ઞાનિકોનું માનવુ છે કે ચંદ્ર પર હાઈડ્રોક્સિકલ અને પાણીનું નિર્માણ અંતરિક્ષના અપક્ષયના કારણે થાય છે. તે ચંદ્રની સપાટીની સાથે સૌર હવાઓની વાતચીતની પ્રક્રિયા છે. આ પ્રભાવની ઘટનાઓ સાથે સંયુક્ત રૂપથી રસાયણિક પરિવર્તનોની તરફ લઈ જાય છે, જે આગળ જઈને પ્રતિક્રિયાશીલ હાઈડ્રોક્સિકલ મોલેક્યૂલના નિર્માણને ટ્રીગર કરે છે. જ્યારે ઈસરોને ચંદ્રયાન-1 સાથે ચંદ્ર પર પાણીની શોધ માટે ઓળખવામાં આવે છે.

 

 

નવા નિષ્કર્ષ આઈઆઈઆરએસ દહેરાદૂનની વૈજ્ઞાનિકોની એક ટીમ દ્વારા કરવામાં આવ્યા હતા, જેમાં પ્રકાશ ચૌહાણ, મમતા ચૌહાણ, પ્રભાકર વર્મા અને સુપ્રિયા શર્મા, સતદ્રુ ભટ્ટાચાર્ય, આદિત્ય કુમારની સાથે સામેલ હતા. આઈઆઈઆરએસથી પ્રારંભિક ડેટા વિશ્લેષણ સ્પષ્ટ રૂપથી વ્યાપક ચંદ્ર જલયોજનાની ઉપસ્થિતી અને 29 ડિગ્રી ઉત્તર અને 62 ડિગ્રી ઉત્તરી અક્ષાંશની વચ્ચે ચંદ્ર પર ઓએચ અને એચટૂઓની સ્પષ્ટ ઓળખને દર્શાવે છે.

 

 

આ પણ વાંચો – Tokyo olympics: ટોક્યો ઓલિમ્પિક પૂર્ણ થયા બાદ 24 વર્ષની ગોલ્ડ મેડાલિસ્ટ મહિલા ખેલાડીનું મોત

 

આ પણ વાંચો – Jamnagar: કલ્યાણપુરમાં સગીરને માર મારવા મામલે કોઈ પગલા ના લેવાતા કલાકારોએ ઉઠાવ્યો અવાજ, રાજભા ગઢવી અને જીતુ દાદે વ્યક્ત કર્યું દુઃખ