રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા લોકો સરળતાથી સાચી કે ખોટી ચલણી નોટ વચ્ચે ભેદ પારખી શકે તે માટે એક ડિજીટલ વ્યવસ્થા લાવી રહ્યું છે. સુત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર નકલી નોટોને હવે મોબાઈલ ફોન જ પકડી પાડશે. રિઝર્વ બેંક આ બાબતે એક એપ્લીકેશન બનાવવા જઈ રહી છે. નાણાં મંત્રાલય દ્વારા આ એપ બનાવવાની જવાબદારી રિઝર્વ બેંકને સોંપવામાં આવી છે.
એપના નિર્માણ માટે એજન્સીની પસંદગી કરવાની પ્રક્રિયા પણ કરી દેવાઈ છે. નકલી નોટોને પારખવા માટે આ એપ મદદ કરશે ખાસ કરીને દષ્ટિહીન લોકોને ખાસ મદદ મળી રહેશે. એપના નિર્માણ બાદ દરેક લોકો તેને પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી શકશે અને જરુર પડે ત્યારે તેનો ઉપયોગ કરીને હાથમાં રહેલી નોટ સાચી છે કે ખોટી તેની ખરાઈ કરી શકશે. ખાસ કરીને કેમેરાની મદદથી આ એપ કામ કરશે તેવું જાણવા મળી રહ્યું છે.
આ પણ વાંચો: જો તમે ટ્રેનની તત્કાલ ટિકિટ બુક કરો છો તો જાણી લો આ નવો નિયમ, રેલવેએ મુસાફરોની સુવિધા માટે લીધો નિર્ણય
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]