Corona Vaccine: દેશ-દુનિયાની કેટલી છે અસરદાર ? જાણવા મથી રહ્યા છે વૈજ્ઞાનિકો

|

Feb 24, 2021 | 4:26 PM

Corona Vaccine : રસીના પ્રભાવોનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા અસંખ્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યા છે, જેના પ્રારંભિક પરિણામો ચેપમાં ઘટાડો સૂચવે છે

Corona Vaccine: દેશ-દુનિયાની કેટલી છે અસરદાર ? જાણવા મથી રહ્યા છે વૈજ્ઞાનિકો
Corona Vaccine

Follow us on

Corona Vaccine કેટલી છે અસરદાર ? તે જાણવા માટે વૈજ્ઞાનિકો મથામણ કરી રહ્યા છે.  વિશ્વના 250 કરોડથી વધુ લોકોને કોરોનાની રસી (એક અથવા બે ડોઝ) અપાઈ ચુકી છે. વૈજ્ઞાનિકો પણ જાણવા માટે ઉત્સુક છે કે તે કોરોના ચેપ સામે રક્ષણ આપવામાં કેટલી અસરકારક છે? રસીના પ્રભાવોનું મૂલ્યાંકન કરવા માટે વૈજ્ઞાનિકો દ્વારા અસંખ્ય અભ્યાસ શરૂ કરવામાં આવ્યા છે, જેના પ્રારંભિક પરિણામો ચેપમાં ઘટાડો સૂચવે છે. પરંતુ, શું આ ઉણપ રસીકરણને લીધે આવી છે અને શું રસી દ્વારા રોગનું સંક્રમણ ઓછુ થયું છે? આ પ્રશ્નોના જવાબો હજી શોધવામાં આવી રહ્યા છે.

પ્રતિકારક સતત તપાસ
મીડિયાના એક અહેવાલમાં હાર્વર્ડની ટી.એચ. ચાન સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના નિષ્ણાત માર્ક લિપ્સિજે જણાવ્યું છે કે જે લોકોને રસી આપવામાં આવી રહી છે તેઓની પ્રતિરક્ષા માટે સતત પરીક્ષણ કરવામાં આવે છે. વૈજ્ઞાનિકો આના પર સતટ કામ કરી રહ્યા છે.. એવી અપેક્ષા છે કે આવતા કેટલાક અઠવાડિયામાં કેટલાક પરિણામો મળશે, જે રસીની અસરને વ્યક્ત કરશે. વૈજ્ઞાનિકોની સામે ત્રણ પ્રશ્નો છે. રસીકરણ રોગ પેદા કરશે નહીં? બીજું, શું રોગની અસર હળવી થશે? જે ફેલાવાને અટકાવશે અને ત્રીજું તે કેટલો સમય સુરક્ષિત રહેશે.?

કોરોનાનો ફેલાવો ઓછો થયો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

યેલ સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના સંશોધનકર્તા વર્જિના પિત્ઝરે કહ્યું હતું કે એવું લાગે છે કે ફાઇઝરની રસી દરેકને ચેપથી બચાવવામાં સફળ રહી નથી, પરંતુ એવું જોવા મળ્યું છે કે જે લોકોએ રસી લગાવી છે તે કોરોનાના સંક્રમણને ફેલાવવાનું ઓછુ કર્યું છે.

રસી લીધેલાના સંપર્કમાં આવતા લોકો પર છે વૈજ્ઞાનિકોની નજર
જે લોકો રસી અપાઈ છે તેના સંપર્કમાં આવતા નાય લોકો પર વૈજ્ઞાનિકો નજર રાખી રહ્યા છે. ખાસ કરીને પરિવાર અને ઓફિસ કામદારો પર નજર રાખવામાં આવી રહી છે. કારણ કે કેટલાક અધ્યયન દર્શાવે છે કે રસી લીધા પછી રોગની તીવ્રતા ઓછી થઈ રહી છે. લક્ષણયુક્ત દર્દીઓ ઘટી રહ્યા છે.

સંક્રમણના કેસ ઓછા થયા
બ્રિટેનની એક યુનિવર્સિટીના એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે લોકોના સમુહમાં ફાયજરની રસી લગાવવામાં આવી છે તે લોકોમાં કોરોનાનું સંક્રમના ઘણું ઓછુ દેખાય રહ્યું છે. હવે કોરોનાના મામલાઓ ઘન ઓછા સામે આવી રહ્યા છે.

હજુ ઘણી જોવી પડશે રાહ 

વર્ધમાન મહાવીર મેડીકલ કોલેજના પ્રોફેસર જુગલ કિશોરએ કહ્યું કે કોરોડો લોકોને કોરોના રસી લાગી ચુકી છે પણ આ આંકડો ઘણો નાનો છે. રસીની અસર હકીકતમાં કેટલી થાય છે તેના માટે હજુ ઘણી રાહ જોવી પડશે.

માર્ચથી જોવા મળશે અસર

WHOએ તાજેતરમાં જ પોતાના એક નિવેદનમાં કહ્યું કે સમગ્ર વિશ્વમાં સંક્રમણમાં 16 ટકા અને મૃત્યુમાં 10 ટકા ઘટાડો નોંધાયો છે. ભારતમાં 16 જાન્યુઆરીએ પ્રથમ અને 13 ફેબ્રુઆરીએ રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો. બીજો ડોઝ આપ્યાના 14 દિવસ પછી રસીની અસર થતી હોય છે માટે માર્ચમાં આનો અસર જોવા મળશે.

Next Article