Breaking News : દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1એ શ્રીહરિકોટાથી ભરી ઐતિહાસિક ઉડાન

હૈદરાબાદ સ્થિત ખાનગી અવકાશ કંપની સ્કાયરૂટ એરોસ્પેસે શ્રીહરિકોટાથી ભારતનું પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1 લોન્ચ કર્યું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ મિશનને ભારતની અવકાશ યાત્રામાં એક ઐતિહાસિક શરૂઆત ગણાવી અને સ્કાયરૂટ ટીમને શુભેચ્છાઓ મોકલી.

Breaking News : દેશનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ, વિક્રમ-1એ શ્રીહરિકોટાથી ભરી ઐતિહાસિક ઉડાન
Vikram 1
Image Credit source: X
| Updated on: Jul 18, 2026 | 1:04 PM

ભારતના અવકાશ ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય ઉમેરાયો છે. હૈદરાબાદ સ્થિત સ્કાયરૂટ એરોસ્પેસે આજે શનિવારે 18 જુલાઈના રોજ ભારતના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ, વિક્રમ-1 લોન્ચ કર્યું. આ લોન્ચ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી થયું. તેને મિશન આગમન નામ આપવામાં આવ્યું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ખુશી વ્યક્ત કરી છે અને અને ટીમને શુભેચ્છાઓ મોકલી. સાથે ઐતિહાસિક શરૂઆત પણ ગણાવી.

પીએમ મોદીએ લોન્ચિંગ પહેલા શું કહ્યું?

લોન્ચિંગ પહેલા પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, “ભારતની અંતરિક્ષ યાત્રા માટે આ એક ઐતિહાસિક શરૂઆત છે.” તેમણે જણાવ્યું કે આજે સ્કાયરૂટ એરોસ્પેસ ભારતના પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ વિક્રમ-1નું પ્રથમ ઓર્બિટલ લોન્ચ કરશે.

ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રની વધતી જતી ક્ષમતાઓ

પ્રધાનમંત્રીએ જણાવ્યું કે આ મિશન ભારતના ખાનગી અવકાશ ક્ષેત્રની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે. તેમણે જણાવ્યું હતું કે આ ચાર-તબક્કાનું રોકેટ ઝડપી અને અનુરૂપ પ્રક્ષેપણ સેવાઓ પૂરી પાડવા માટે રચાયેલ છે. તેમણે કહ્યું કે આ મિશન આપણા યુવાનોની પ્રતિભા, દૃઢ નિશ્ચય અને ઉદ્યોગસાહસિક ભાવના દર્શાવે છે.

પ્રધાનમંત્રી સમગ્ર ટીમને મોકલી શુભેચ્છાઓ

પીએમ મોદીએ કહ્યું કે આ મિશન ભારતના અંતરિક્ષ ક્ષેત્રમાં થયેલા સુધારાઓનું પરિણામ છે. તેમણે સ્કાયરૂટ એરોસ્પેસની સમગ્ર ટીમને સફળ લોન્ચ માટે શુભેચ્છા મોકલતાં કહ્યું કે, “વિક્રમ-1 નવી ઊંચાઈઓ સર કરે, ઇતિહાસ રચે અને આગામી પેઢીના ઇનોવેટર્સને પ્રેરણા આપે.”

દેશવાસીઓને પ્રધાનમંત્રીની અપીલ

વડાપ્રધાનએ કહ્યું, “હું બધા ભારતીયોને, ખાસ કરીને મારા યુવા મિત્રોને આ ઐતિહાસિક મિશન જોવા અને #IndiaWithVikram1 હેશટેગનો ઉપયોગ કરીને સ્કાયરૂટ ટીમની સફળતાની શુભેચ્છા મોકલું છું.”

ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષે મોકલ્યા અભિનંદન

ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ એસ. સોમનાથને સ્કાયરૂટ એરોસ્પેસને અભિનંદન આપતાં, મિશનને ભારતના ખાનગી અવકાશ ઉદ્યોગ માટે એક સીમાચિહ્નરૂપ ગણાવ્યું. X સોશિયલ મીડિયા પોસ્ટમાં, તેમણે કહ્યું, “વિક્રમ-1 ઓર્બિટલ રોકેટ સાથે આજે મિશન અરાઇવલના પરીક્ષણ પ્રક્ષેપણ પર સ્કાયરૂટ એરોસ્પેસ ટીમને મારા હાર્દિક અભિનંદન.” તેમણે વધુમાં ઉમેર્યું, “આ રોકેટની પ્રથમ ઓર્બિટલ ફ્લાઇટ કરતાં વધુ છે; તે ભારતની ખાનગી રોકેટ ઉત્પાદન ક્ષમતાઓના આગમનને ચિહ્નિત કરે છે અને નોંધપાત્ર પ્રગતિ દર્શાવે છે.”

350 કિલોગ્રામ સુધીનો ભાર લઈ જવાની ક્ષમતા ધરાવે છે

વિક્રમ-1એ પહેલું ઓર્બિટલ રોકેટ છે જે સંપૂર્ણપણે હળવા અને મજબૂત કાર્બન-કમ્પોઝિટ માળખામાંથી બનાવવામાં આવેલું છે. હૈદરાબાદ સ્થિત કંપની સ્કાયરૂટ એરોસ્પેસે વર્ષોના પરીક્ષણ અને તૈયારી પછી લોન્ચ પેડ પર આ રોકેટ પૂર્ણ કર્યું. રોકેટનું સંપૂર્ણ પરીક્ષણ કરવામાં આવ્યું છે. તે 350 કિલોગ્રામ સુધીનો પેલોડ વહન કરી શકે છે. તે કાર્બન કમ્પોઝિટમાંથી બનાવવામાં આવ્યું છે અને કંપનીના પોતાના એન્જિન દ્વારા સંચાલિત છે. જેમાં 3D-પ્રિન્ટેડ એન્જિનનો સમાવેશ થાય છે.

પ્લેનેટ સ્પેસ, કોસ્મોસર્વ, ડીક્યુબેડ અને સ્કાયરૂટના પોતાના પ્રયોગો સહિત અનેક ટેકનોલોજી પેલોડ આ રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યુંછે. આ મિશન પર પીએમ મોદીના વંદે માતરમનું એક હસ્તલિખિત પોસ્ટકાર્ડ, વર્તમાન અને ભૂતપૂર્વ ISRO વડાઓના સંદેશાઓ અને ભારતીય અવકાશયાત્રીઓના સંદેશાઓ પણ મોકલવામાં આવી રહ્યા છે.

શું કહ્યું સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક

સ્કાયરૂટ એરોસ્પેસના સહ-સ્થાપક અને સીઈઓ પવન કુમાર ચંદનાએ કહ્યું, “અમે જમીન પર વિક્રમ-1નું પરીક્ષણ કરવા માટે તમામ પ્રયાસો કર્યા છે. 18 જુલાઈના રોજ, અમે જોવા માટે ઉત્સુક છીએ કે વિક્રમ-1 વાસ્તવિક ઉડાન વાતાવરણમાં પ્રથમ વખત કેવું પ્રદર્શન કરે છે. આ અમારી પ્રથમ પરીક્ષણ ઉડાન છે અને અમને મૂલ્યવાન ડેટા પ્રદાન કરશે. તે સ્કાયરૂટના તેના પ્રક્ષેપણ ગતિને જાળવી રાખવાના લક્ષ્યો માટે મજબૂત પાયો નાખશે. અમે આ પૂર્ણ કરવા માટે ઉત્સાહિત છે.”

આ પણ વાંચો, 2027 સુધીમાં ભારત છોડી દેશે OnePlus ! તો પછી કંપનીમાં મોબાઈલ યુઝર્સનું શું થશે?

Follow Us
Loading...
Unable to load recommendations.