
સામાન્ય રીતે આપણે એલપીજી (LPG) નો ઉપયોગ રસોઈ બનાવવા માટે કરીએ છીએ, પરંતુ અત્યારે એક એવા સમાચાર આવી રહ્યા છે જે તમારા સ્માર્ટફોન અને ઈન્ટરનેટની દુનિયાને હચમચાવી શકે છે. દેશમાં ઈંધણના વધતા સંકટ વચ્ચે સરકારે પેટ્રોલિયમ કંપનીઓને માત્ર ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવાનો આદેશ આપતા ટેલિકોમ સેક્ટરમાં ફફડાટ મચી ગયો છે.
ઘણા લોકોને પ્રશ્ન થશે કે ટાવર તો લોખંડના હોય છે, તેમાં ગેસની શું જરૂર? હકીકતમાં, મોબાઈલ ટાવર બનાવવાની પ્રક્રિયામાં ‘ગેલ્વેનાઈઝેશન’ (Galvanization) એક અનિવાર્ય ભાગ છે. આ પ્રક્રિયામાં લોખંડ કે સ્ટીલને કાટથી બચાવવા માટે તેના પર ઝીંકનું પડ ચઢાવવામાં આવે છે. આ માટે ભઠ્ઠી ગરમ કરવા એલપીજી કે ગેસ આધારિત ઈંધણની સતત જરૂર પડે છે.
ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોવાઈડર્સ એસોસિએશન (DIPA) ના જણાવ્યા અનુસાર, 5 માર્ચ 2026 થી ઓઈલ કંપનીઓએ ટેલિકોમ ટાવર મેન્યુફેક્ચરિંગ યુનિટ્સને ગેસ આપવાનું બંધ કરી દીધું છે. સંગઠને ચેતવણી આપી છે કે:
આ ઈંધણ સંકટની સીધી અસર ઇન્ડસ ટાવર્સ, એસેન્ડ ટેલિકોમ, વોડાફોન આઈડિયા અને જેન્ટારી ઈન્ડિયા જેવી દિગ્ગજ કંપનીઓ પર જોવા મળશે. જો ટાવર સપ્લાય ચેઈન ખોરવાઈ જશે, તો 5G વિસ્તરણની યોજનાઓ પણ રોળાઈ શકે છે.
DIPA એ ટેલિકોમ સચિવે પત્ર લખીને તાત્કાલિક દખલ કરવાની માગ કરી છે. જિયો-પોલિટિકલ તણાવને કારણે સર્જાયેલું આ ઈંધણ સંકટ હવે સીધું સામાન્ય માણસના ખિસ્સા અને તેના મોબાઈલ સિગ્નલ સુધી પહોંચી ગયું છે.