AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખુશ ખબર : Income Tax Return ભરવાની તારીખ લંબાઈ, રિટર્ન ભર્યા પહેલા જાણો આ જરૂરી મુદ્દા

ITR Deadline 2020-21 : સરકારે 1 એપ્રિલ 2020થી કરદાતાઓ માટે નવી ટેક્સ સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ શું બદલાશે તે સમજવું મહત્વપૂર્ણ છે.

ખુશ ખબર : Income Tax Return ભરવાની તારીખ લંબાઈ, રિટર્ન ભર્યા પહેલા જાણો આ જરૂરી મુદ્દા
ફાઈલ ફોટો
| Updated on: Jun 24, 2021 | 8:09 PM
Share

Income Tax વિભાગે કોરોના મહામારીને કારણે નાણાકીય વર્ષ 2020-21 માટે આઈટી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ વધારી દીધી છે. (ITR Deadline extension). આનાથી વ્યક્તિગત કરદાતાઓને જ નહીં પરંતુ વર્તમાન વાતાવરણમાં મુશ્કેલીઓનો સામનો કરી રહેલા ઉદ્યોગપતિઓને પણ મોટી રાહત મળશે.

Income Tax નિયમો અનુસાર વ્યક્તિગત કરદાતા જે 31 માર્ચ રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષ (2020-2021) માટે ITR -1 અથવા ITR-4 ફાઈલ કરનારા વ્યક્તિગત કરદાતાઓએ 31 જુલાઈ સુધીમાં રીટર્ન ફાઈલ કરવું પડશે. કંપનીઓ અને ફર્મ કે જેમના ખાતાનું ઑડિટ થવું જરૂરી છે, તેના માટે અંતિમ તારીખ 31 ઓક્ટોબર છે. પરંતુ કરદાતાઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને હવે આ તારીખો લંબાવી દેવામાં આવી છે.

ITRની નવી ડેડલાઈન

વ્યક્તિગત કરદાતાઓ હવે નાણાકીય વર્ષ 2020-21માં મેળવેલી આવક પર 31 જુલાઈને બદલે 30 સપ્ટેમ્બર સુધી ટેક્સ રિટર્ન ફાઈલ કરી શકે છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સે (CBDT) કંપનીઓ માટે વળતર ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 ઓક્ટોબરથી 30 નવેમ્બર 2021 સુધી વધારી દીધી છે.

રિવાઈઝ્ડ રિટર્ન માટે નવી ડેડલાઈન

કોઈ કરદાતા કે જેણે અંતિમ મુદત પછી પણ પોતાનું રિટર્ન ભર્યું નથી, તે બેલેટેડ આઈટીઆર ફાઈલ કરી શકે છે, પરંતુ આ માટે તેણે દંડ ભરવો પડશે. બેલેટેડ આઈટીઆર અથવા રિવાઈઝ્ડ આઈટીઆર ફાઈલ કરવાની છેલ્લી તારીખ હવે 31 જાન્યુઆરી 2022 છે.

ફોર્મ 16 જારી કરવાની અંતિમ તારીખ

એક પરિપત્ર મુજબ CBDT એમ્પ્લોયર દ્વારા કર્મચારીને આપેલ ફોર્મ 16 રજૂ કરવાની અંતિમ તારીખ પણ 15 જુલાઈ, 2021 સુધી વધારી દીધી છે. અગાઉ તેની છેલ્લી તારીખ 15 જૂન હતી.

નવી ટેક્સ સિસ્ટમ

સરકારે 1 એપ્રિલ 2020થી કરદાતાઓ માટે નવી ટેક્સ સિસ્ટમ શરૂ કરી છે. આ નવી ટેક્સ સિસ્ટમ હેઠળ શું બદલાશે તે સમજવું મહત્વપૂર્ણ છે, કયા કરદાતા માટે તે ફાયદાકારક છે અને કોણે તેનો વિકલ્પ પસંદ ન કરવો જોઈએ. નવા સ્લેબમાં શું છે તે પહેલા સમજીએ

વાર્ષિક 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ વેરો ભરવાનો રહેશે નહીં. 2.5 લાખથી 5 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક 5% ટેક્સ 5-7.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક 10% ટેક્સ 7.5-10 લાખ રૂપિયાની વાર્ષિક આવક 10% ટેક્સ 10-12.5 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 20% ટેક્સ 12.5-15 લાખ રૂપિયાની વાર્ષિક આવક પર 25% ટેક્સ 15 લાખથી ઉપરની વાર્ષિક આવક પર 30% ટેક્સ ભરવો પડશે.

નવા ટેક્સ સ્લેબ પર સ્વિચ કરવું કે નહીં?

કરદાતા જૂના ટેક્સ સ્લેબથી નવા સ્લેબ તરફ જઈ શકે છે અને તેઓ નવા સ્લેબથી જૂના સ્લેબમાં પાછા આવી શકે છે. જો કે, આ છૂટ માત્ર કરદાતાઓના અમુક વર્ગો માટે છે. નોકરિયાત દરેક નવા નાણાકીય વર્ષમાં નવા સ્લેબ પર જઈને પાછા આવી શકે છે. જેમને પગાર, ભાડા અથવા અન્ય સ્રોતથી આવક છે, તેઓ દર વખતે ટેક્સ સ્લેબ બદલી શકે છે.

જો તમને વ્યવસાયથી આવક હોય તો તમે ફક્ત એક જ વાર શિફ્ટ કરી શકો છો. એકવાર સ્વિચ થયેલા ઉદ્યોગપતિ પાછા આવી શકશે નહીં. જો તમે ડોક્ટર, વકીલ, એન્જિનિયર અથવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવ તો તમે નવી યોજના હેઠળ આવી શકો છો. ખાસ વાત એ છે કે તમે દર વર્ષે નવી અથવા જૂની સ્કીમ વચ્ચે પસંદગી કરી શકો છો.

આ પણ વાંચો : જ્યારે માતાને ખબર પડી કે દીકરો દર્શ સક્સેના હવે રિહાન અન્સારી બની ગયો, Facebook ચેટથી થયો ખુલાસો

Follow Us
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
સંજય સોલંકી અપહરણ અને મારામારી કેસમાં ગણેશ ગોંડલ નિર્દોષ જાહેર
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
વાવ થરાદમાં પાણી માટે ખેડૂતો આકરા પાણીએ, ઢોલ વગાડી નોંધાવ્યો વિરોધ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
ખેડા: રઢુ PHC સેન્ટરમાં બાળકોની દવામાં જીવડા નીકળતા આરોગ્યવિભાગ જાગ્યુ
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
બાળકોને વાસી ભોજન પીરસનાર સંચાલક ફસાયો - જુઓ Video
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા જળસંકટના એંધાણ, હજુ 70% વરસાદની અછત
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
રાજકુમાર જાટ કેસમાં ગુજરાત સરકારે હાઇકોર્ટમાં પુરાવા રજૂ કર્યા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
ગુજરાતમાં વરસાદની અછત ? કૃત્રિમ વરસાદ વરસાવવાની ચર્ચા
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
આગામી ગુજરાત ચૂંટણી પહેલા RSS-સરકારની મહાબેઠક, જમીની સ્થિતિની ચર્ચા..
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
સુરતમાં રવિવાર રજાના દિવસે પણ સરકારી શાળા ચાલુ
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
નાના ચિલોડામાં AMCના નામે ‘ભૂતિયા ડિમોલેશન’ ! Video
g clip-path="url(#clip0_868_265)">