વિરાટ કોહલીએ આગામી રવિવારે ઑસ્ટ્રેલિયા સામે યોજાનાર પ્રથમ ટી-20 મૅચ પહેલા શનિવારે કહ્યું કે ટીમનું સ્ટૅંડ એ જ હશે કે જે દેશ, BCCI અને સરકાર નક્કી કરશે. તેમણે કહ્યું કે લેવાયો નિર્ણય તેમને અને આખી ટીમને મંજૂર રહેશે.
કોહલીએ પુલવામા આતંકી હુમલાના સવાલ પર કહ્યું, ‘આતંકી હુમલાની ઘટના દુઃખદ હતી. હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારો પ્રત્યે મારી અને ટીમ તરફથી સંવેદનાઓ છે. આ (પાકિસ્તાન સાથે રમવા) સંબંધમાં દેશ, સરકાર અને બોર્ડ જે પણ નિર્ણય કરશે, અમને મંજૂર હશે.’
નોંધનીય છે કે ગઈકાલે બીસીસીઆઈની સીઓએની બેઠકમાં WORLD CUP 2019 સહિત તમામ મૅચોમાં પાકિસ્તાન સાથે ક્રિકેટ રમવા કે ન રમવાનો નિર્ણય કેન્દ્ર સરકાર પર છોડવાનો નિર્ણય કરાયો હતો.
[yop_poll id=1719]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]