
ભૂતપૂર્વ ફાસ્ટ બોલર એસ. એલ અક્ષયનું ક્લબ મેચ દરમિયાન હાર્ટ એટેક આવતાં અવસાન થયું છે. તે ફક્ત 39 વર્ષનો હતો. અક્ષય બેંગલુરુમાં KSCA (Karnataka State Cricket Association) થર્ડ ડિવિઝન લીગ મેચમાં સેફાયર CC માટે રમી રહ્યો હતો. તેણે મેચ દરમિયાન ચાર ઓવર બોલિંગ કરી પરંતુ પછી અચાનક તેને અસ્વસ્થતા અનુભવાઈ અને છાતીમાં દુખાવો થવા લાગ્યો.
એસ. એલ અક્ષયની તબિયત વધુ ખરાબ થતાં તે મેદાન છોડીને ગયો હતો. તેની તબિયત વધુ ખરાબ થતાં તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. અક્ષય 2014-15ની સીઝનમાં રણજી ટ્રોફી ટાઇટલ જીતનારી કર્ણાટક ટીમનો ભાગ હતો. તેણે પોતાની ઝડપી બોલિંગથી ઘરેલુ ક્રિકેટમાં પોતાની છાપ છોડી હતી.
Karnataka State Cricket Association mourned the untimely demise of former cricketer S. L. Akshay, remembering his contribution to Karnataka cricket as both a first-class player and junior coach. KSCA praised his dedication to nurturing young talent and extended condolences to his… pic.twitter.com/zPPtBrMmMv
— IANS (@ians_india) May 24, 2026
એસ.એલ. અક્ષયે 2011થી 2013 દરમિયાન કર્ણાટક માટે 6 ફર્સ્ટ-ક્લાસ મેચ, ત્રણ લિસ્ટ A મેચ અને નવ ટી20 મેચ રમી હતી. ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં, અક્ષયે 18 વિકેટ લીધી હતી અને 89 રન બનાવ્યા હતા. લિસ્ટ A ક્રિકેટમાં, તેણે છ વિકેટ લીધી હતી અને 11 રન બનાવ્યા હતા. ટી20 ક્રિકેટમાં, અક્ષરે આઠ વિકેટ લીધી હતી અને 10 રન બનાવ્યા હતા. એસએલ અક્ષયના મૃત્યુથી ભારતીય ક્રિકેટમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. એસએલ અક્ષયની કારકિર્દી ટૂંકી રહી. નિવૃત્તિ પછી પણ, અક્ષય ક્રિકેટમાં સક્રિય રીતે સંકળાયેલા રહ્યા હતો. તે કર્ણાટક અંડર-19 ટીમ સાથે કોચિંગ અને યુવા ખેલાડીઓ પ્રોત્સાહન આપતો હતો.
કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનએ (કેએસસીએ) એસ.એલ. અક્ષયના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. એક નિવેદનમાં કેએસસીએએ જણાવ્યું હતું કે એસ.એલ. અક્ષયે ખેલાડી અને કોચ બંને તરીકે કર્ણાટક ક્રિકેટમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું, અને યુવા ક્રિકેટરોના વિકાસમાં તેમની ભૂમિકા હંમેશા યાદ રહેશે. અક્ષયના અચાનક અવસાનના સમાચારથી કર્ણાટક ક્રિકેટ સમુદાયમાં શોકની લહેર ફેલાઈ ગઈ છે. ઘણા ખેલાડીઓ અને ક્રિકેટ ચાહકોએ સોશિયલ મીડિયા પર તેને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.
Published On - 9:20 am, Mon, 25 May 26