ભારતીય ટીમમાં બધુ જ બરાબર નથી? રોહિત શર્માને ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવાથી ઉભા થયા સવાલ

|

Aug 23, 2019 | 7:23 AM

વેસ્ટ ઈન્ડીઝની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા. રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ના હોવાથી પ્રશંસક ખુબ નારાજ થયા છે. આ મેચમાં વિરાટ કોહલીએ રોહિત શર્માને તક ના આપી તો ટ્વિટર પર ફેન્સે કોહલી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે. કેપ્ટન કોહલીના આ નિર્ણય પછી એ પ્રશ્ન […]

ભારતીય ટીમમાં બધુ જ બરાબર નથી? રોહિત શર્માને ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં સામેલ ના કરવાથી ઉભા થયા સવાલ

Follow us on

વેસ્ટ ઈન્ડીઝની સામે પ્રથમ ટેસ્ટ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ સ્ટાર બેટ્સમેન રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા. રોહિત શર્મા પ્લેઈંગ ઈલેવનમાં ના હોવાથી પ્રશંસક ખુબ નારાજ થયા છે. આ મેચમાં વિરાટ કોહલીએ રોહિત શર્માને તક ના આપી તો ટ્વિટર પર ફેન્સે કોહલી પર ગુસ્સો વ્યક્ત કર્યો છે.

કેપ્ટન કોહલીના આ નિર્ણય પછી એ પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે શું તેમના આંતરિક મતભેદના કારણે વિરાટ કોહલીએ રોહિત શર્માને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર રાખ્યા છે? રોહિત શર્મા શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ફેન્સે કહી રહ્યા છે કે કોહલી રોહિત શર્મા પાસે બદલો લેવા માગે છે. રોહિત શર્માએ ટેસ્ટ સીરીઝ પહેલા રમાયેલી પ્રેક્ટિસ મેચમાં શાનદાર 68 રન બનાવ્યા હતા. રોહિત શર્માના આ પ્રદર્શનને નજરઅંદાજ કરીને વિરાટ કોહલીએ તેમને પ્લેઈંગ ઈલેવનમાં સામેલ નથી કર્યા.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માની જગ્યાએ હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી પ્રશંસક ખુબ નારાજ લાગી રહ્યા છે. વિશ્વ કપ 2019માં સેમીફાઈનલમાં હાર પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીની વચ્ચે આતંરિક મતભેદના સમાચાર સામે આવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે રવાના થયા પહેલા વિરાટ કોહલીએ કહ્યું હતું કે ભારતીય ટીમમાં જો કોઈ મતભેદ હોય તો અમારી ટીમ નંબર વન ના હોત. વિરાટ કોહલીએ પત્રકારોને ટીમના ડ્રેસિંગ રૂમમાં આવવા માટે પણ કહ્યું હતું. કોહલી મુજબ જો રોહિત અને તેમની વચ્ચે કોઈ ઝગડો હોય તો ટીમ ક્યારેય પણ સારૂ પ્રદર્શન ના કરી શકતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્મા પહેલા યુવા ખેલાડી હનુમા વિહારીને પ્રાથમિકતા આપી છે. ભારતીય કેપ્ટનના આ નિર્ણયથી પ્રશંસક ખુબ નારાજ લાગી રહ્યા છે અને ટ્વિટર પર તેમનો ગુસ્સા કાઢી રહ્યા છે.

[yop_poll id=”1″]

ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનું માનવું છે કે રોહિત શર્માને વન-ડેની જેમ ટેસ્ટ ક્રિકેટમાં સલામી બેટસમેનની ભૂમિકા ભજવવી જોઈએ. રોહિત ભારતની ટેસ્ટ ટીમમાં અજિંક્ય રહાણેની સાથે મધ્યક્રમમાં બેટિંગ કરે છે અને ગાંગૂલીનું કહેવું છે કે તે ખુબ જરૂરી છે કે રોહિત શર્મા ઈંગ્લેન્ડ અને વેલ્સમાં યોજાયેલા વિશ્વ કપના તેમના શાનદાર ફોર્મમાં રહે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article