IPL-2019: માત્ર 5 રનથી મુંબઈ સામે હારતાં કોહલીએ ગુસ્સો એમ્પાયર પર કાઢ્યો, તો રોહિતે પણ આપ્યો યોગ્ય જવાબ

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની રસાકસી ભરી મેચમાં છ રને વિજય મેળવી આઈપીએલની આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. મેચમાં ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી મુંબઈની ટીમે આઠ વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. 188 રનના ટાર્ગેટ સામે કોહલી અને એબી […]

IPL-2019: માત્ર 5 રનથી મુંબઈ સામે હારતાં કોહલીએ ગુસ્સો એમ્પાયર પર કાઢ્યો, તો રોહિતે પણ આપ્યો યોગ્ય જવાબ
Follow Us:
| Updated on: Mar 29, 2019 | 2:55 AM

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની રસાકસી ભરી મેચમાં છ રને વિજય મેળવી આઈપીએલની આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. મેચમાં ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી મુંબઈની ટીમે આઠ વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા.

188 રનના ટાર્ગેટ સામે કોહલી અને એબી ડી વિલિયર્સે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જસપ્રીત બુમરાહની વેધક બોલિંગ બાદ અંતિમ ઓવરમાં મલિંગાની ચતુરાઈભરી બોલિંગ સામે આરસીબીને હારનો સામનો કરવો પડયો હતો.

અંતિમ ઓવરમાં આરસીબીને જીત માટે 17 રનની જરૂર હતી. પ્રથમ બોલે શિવમ દુબેએ છગ્ગો ફટકારી આશા જગાવી હતી પરંતુ મલિંગાએ તે પછી છેલ્લા પાંચ બોલમાં માત્ર ચાર રન આપી મુંબઈને છ રને વિજય અપાવ્યો હતો.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ પણ વાંચો : મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

પરંતુ અંતિમ મલિંગાની ઓવરમાં જ મેચમાં વિવાદ થયો છે. બોલિંગ એન્ડ પરથી RCBના શિવમ દુબે સામે મલિંગાએ બોલ ફેંકયો અને આ દરમિયાન તેનો પગ ક્રીઝની બહાર હતો પરંતુ એમ્પાયરની નજર તેના પર પડી નહીં અને મેચ બેંગલુરૂના હાથમાંથી સરકી ગઇ.

જો કે એમ્પાયરના આ નિર્ણય પર કોહલીએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે અમે IPL લેવલ પર ક્રિકેટ રમી રહ્યા છીએ કોઇ કલબ ક્રિકેટ નથી. છેલ્લાં બોલ પર જે થયું તે ખોટું હતું. એમ્પાયર્સે પોતાની આંખો ખોલીને રાખવી જોઇએ. જો આ માર્જિનની જ રમત હોય તો મને નથી ખબર કે આવું કેમ થઇ રહ્યું છે. એમ્પાયરે તેના પર ધ્યાન આપવું જોઇએ.

જ્યારે મેચ બાદ રોહિત શર્મા એ કહ્યું કે મને અત્યારે ખબર પડી કે અમે ક્રીઝને પાર કરી ગયા હતા. આ પ્રકારની વસ્તુ ક્રિકેટ માટે સારી નથી. સાથો સાથ તેમણે પણ એમ્પાયરના એક નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે બુમરાહનો એક બોલ જેને વાઇડ આપી દીધો હતો જે વાઇડ નહોતો. આ જોઇ ખૂબ નિરાશ થયો.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં વિરાટ કોહલીએ 46 રન બનાવવાની સાથે IPLમાં પાંચ હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી સુરેશ રૈના બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બન્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
ગુજરાતમાં કાળઝાળ ગરમીની આગાહી, આ જિલ્લાોમાં હીટવેવની સંભાવના
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
g clip-path="url(#clip0_868_265)">