AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL-2019: માત્ર 5 રનથી મુંબઈ સામે હારતાં કોહલીએ ગુસ્સો એમ્પાયર પર કાઢ્યો, તો રોહિતે પણ આપ્યો યોગ્ય જવાબ

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની રસાકસી ભરી મેચમાં છ રને વિજય મેળવી આઈપીએલની આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. મેચમાં ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી મુંબઈની ટીમે આઠ વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા. 188 રનના ટાર્ગેટ સામે કોહલી અને એબી […]

IPL-2019: માત્ર 5 રનથી મુંબઈ સામે હારતાં કોહલીએ ગુસ્સો એમ્પાયર પર કાઢ્યો, તો રોહિતે પણ આપ્યો યોગ્ય જવાબ
Follow Us:
| Updated on: Mar 29, 2019 | 2:55 AM

મુંબઈ ઈન્ડિયન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની રસાકસી ભરી મેચમાં છ રને વિજય મેળવી આઈપીએલની આ સિઝનમાં જીતનું ખાતું ખોલાવ્યું હતું. બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને સતત બીજી મેચમાં હારનો સામનો કરવો પડયો હતો. મેચમાં ટોસ હારી પ્રથમ બેટિંગમાં ઊતરેલી મુંબઈની ટીમે આઠ વિકેટ ગુમાવી 187 રન બનાવ્યા હતા.

188 રનના ટાર્ગેટ સામે કોહલી અને એબી ડી વિલિયર્સે ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ જસપ્રીત બુમરાહની વેધક બોલિંગ બાદ અંતિમ ઓવરમાં મલિંગાની ચતુરાઈભરી બોલિંગ સામે આરસીબીને હારનો સામનો કરવો પડયો હતો.

અંતિમ ઓવરમાં આરસીબીને જીત માટે 17 રનની જરૂર હતી. પ્રથમ બોલે શિવમ દુબેએ છગ્ગો ફટકારી આશા જગાવી હતી પરંતુ મલિંગાએ તે પછી છેલ્લા પાંચ બોલમાં માત્ર ચાર રન આપી મુંબઈને છ રને વિજય અપાવ્યો હતો.

Mala Jap: શું તમે ખોટી રીતે માળાનો જાપ કરો છો? પ્રેમાનંદ મહારાજે જણાવી સાચી રીત
TMKOC ના બબીતાજીએ કહી દીધી પોતાના મનની વાત
5 કલાકથી પણ ઓછી ઊંઘ લેનારા પુરુષોને થાય છે ખતરનાક બીમારી
શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો

આ પણ વાંચો : મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવાના મુદ્દે ભારત-પાકિસ્તાન કરતાં હવે અમેરિકા-ચીન સામ-સામે, ચીનની મુશ્કેલી અમેરિકાએ વધારી દીધી

પરંતુ અંતિમ મલિંગાની ઓવરમાં જ મેચમાં વિવાદ થયો છે. બોલિંગ એન્ડ પરથી RCBના શિવમ દુબે સામે મલિંગાએ બોલ ફેંકયો અને આ દરમિયાન તેનો પગ ક્રીઝની બહાર હતો પરંતુ એમ્પાયરની નજર તેના પર પડી નહીં અને મેચ બેંગલુરૂના હાથમાંથી સરકી ગઇ.

જો કે એમ્પાયરના આ નિર્ણય પર કોહલીએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે અમે IPL લેવલ પર ક્રિકેટ રમી રહ્યા છીએ કોઇ કલબ ક્રિકેટ નથી. છેલ્લાં બોલ પર જે થયું તે ખોટું હતું. એમ્પાયર્સે પોતાની આંખો ખોલીને રાખવી જોઇએ. જો આ માર્જિનની જ રમત હોય તો મને નથી ખબર કે આવું કેમ થઇ રહ્યું છે. એમ્પાયરે તેના પર ધ્યાન આપવું જોઇએ.

જ્યારે મેચ બાદ રોહિત શર્મા એ કહ્યું કે મને અત્યારે ખબર પડી કે અમે ક્રીઝને પાર કરી ગયા હતા. આ પ્રકારની વસ્તુ ક્રિકેટ માટે સારી નથી. સાથો સાથ તેમણે પણ એમ્પાયરના એક નિર્ણય પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે બુમરાહનો એક બોલ જેને વાઇડ આપી દીધો હતો જે વાઇડ નહોતો. આ જોઇ ખૂબ નિરાશ થયો.

ઉલ્લેખનીય છે કે, આ મેચમાં વિરાટ કોહલીએ 46 રન બનાવવાની સાથે IPLમાં પાંચ હજાર રન પૂર્ણ કરવાની સિદ્ધિ મેળવી હતી. વિરાટ કોહલી સુરેશ રૈના બાદ આ સિદ્ધિ મેળવનાર બીજો ખેલાડી બન્યો હતો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ પટેલ વિરુદ્ધ ગુનો નોંધાયો
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
વડાપ્રધાન મોદી બિકાનેરમાં વાયુસેનાના જવાનો સાથે સંવાદ કરશે
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
રાજકોટમાં E-KYC વગરના કાર્ડધારકો અનાજ વિતરણથી વંચિત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
અમદાવાદમાં કપડા ધોવાની ફેકટરીની ટાંકી સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના મોત
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">