ભારત અને શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચ પૂણે ખાતે રમાઈ હતી. ભારતે આ સીરીઝી પોતાના નામે કરી લીધી છે. કુલ ટી-20ની 3 મેચ હતી પણ ગુવાહાટીમાં વરસાદના લીધે એક મેચ રદ થઈ હતી. આ સિવાય ઈંદોર ખાતે મેચમાં ભારતે શ્રીલંકાની ટીમને હરાવી દીધી હતી અને અંતિમ મેચ પૂણે ખાતે યોજાઈ હતી. આ મેચમાં પણ ભારતે બાજી મારી લીધી છે અને સીરિઝ પોતાના નામે કરી છે.
આ પણ વાંચો : ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ
ભારતે શ્રીલંકાને આપ્યો હતો 202 રન કરવાનો ટાર્ગેટ
ભારતને ટીમે પહેલાં બેટિંગ કરી હતી અને 201 રન કર્યા હતા. બાદમાં શ્રીલંકા ભારતે આપેલાં લક્ષ્યને સર કરી શક્યું નહોતું. 15.5 ઓવરમાં જ શ્રીલંકાની ટીમ 123 રન કરીને પેવેલિયન ભેગી થઈ ગયી હતી. આમ ભારતીય બોલર્સે શ્રીલંકાના બેટસમેનને ટકવા દીધા નહોતા. 78 રનની સરસાઈથી ભારતે આ મેચમાં જીત મેળવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
ભારતના બેટસમેનની વાત કરીએ તો શિખર ધવને 52 રન કર્યા બાદ આઉટ થયા હતા. રાહુલે 54 રન કર્યા હતા. મનીષ પાંડેએ 31 રન, શાર્દુલ ઠાકુરે 22 રન કર્યા હતા. સંજૂ સેમસન અને શ્રેયસ મિડલ ઓર્ડરના બેટસમેન હોવાછતાં સારું પ્રદર્શન કરી શક્યા નહોતા.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]
Published On - 5:54 pm, Fri, 10 January 20