ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

|

Jan 06, 2020 | 5:04 PM

વરસાદ અને વ્યવસ્થાએ ગુવાહાટીની મેચમાં તો પાણી ફેરવી દીધું બાદ હવે બધાની નજર ઈંદોરની મેચ પર છે. વરસાદના લીધે પાણી ભરાવાથી મેદાન ભીનું થઈ ગયું હતું અને તેના લીધે મેચ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચની આ પ્રથમ મેચ હતી અને તેમાં જ વિઘ્ન આવ્યું હતું. બીસીસીઆઈ પણ આ […]

ઈંદોર ખાતે ભારતીય ટીમ શ્રીલંકાની સામે જીતી જ રહી છે! કંઈક આવો છે ઈતિહાસ

Follow us on

વરસાદ અને વ્યવસ્થાએ ગુવાહાટીની મેચમાં તો પાણી ફેરવી દીધું બાદ હવે બધાની નજર ઈંદોરની મેચ પર છે. વરસાદના લીધે પાણી ભરાવાથી મેદાન ભીનું થઈ ગયું હતું અને તેના લીધે મેચ રદ કરવાની ફરજ પડી હતી. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી 20 મેચની આ પ્રથમ મેચ હતી અને તેમાં જ વિઘ્ન આવ્યું હતું. બીસીસીઆઈ પણ આ વ્યવસ્થાથી નારાજ થયું છે અને તપાસના આદેશ આપ્યા છે. આ બાબતે સોશિયલ મીડિયામાં લોકોએ બીસીસીઆઈની ભારે મજાક ઉડાવી હતી.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઈંદોર ખાતે વાતાવરણની વાત કરીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે વરસાદની શક્યતા નથી. વરસાદની શક્યતા નથી એટલે ખુશીના સમાચાર એ છે મેચ રમાશે અને 20 ઓવર સુધી રમાશે. આ ખુશીની સાથે એક ખુશી બીજી પણ ભારતીય ટીમને લઈને છે. ઈતિહાસ એવું કહે છે કે ટીમ ઈન્ડિયાએ ઈંદોર ખાતે 8 મેચ રમી છે અને 8માંથી 8 મેચમાં ભારતની જીત રહી છે. આમ ઈંદોરનું સ્ટેડિયમ ભારત માટે આશાનું કિરણ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ક્યારે ટકારશે ફરીથી ભારત અને શ્રીલંકા?
7 જાન્યુઆરીના રોજ ભારત અને શ્રીલંકાની ટીમ એકબીજાની સાથે ટકરાશે. બે વર્ષ પહેલાં શ્રીલંકાની મેચ ભારત સાથે હતી અને ચહલે કેર વર્તાવી દીધો હતો. ચહલે શ્રીલંકાની 4 વિકેટ એકલા હાથે પાડી દીઘી હતી. આ જોઈને જો કોહલી ચહલને ટીમમાં સ્થાન આપી દે તો નવાઈ નહીં. જો કે ગુવાહાટીમાં પરિસ્થિતિ અલગ રહી હતી. વિરાટ કોહલીએ 6 બેટસમેનની પસંદગી જ્યારે 4 બોલર્સની પસંદગી કરી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

કેવો રહ્યો છે ભારત અને શ્રીલંકાની ટક્કરનો ઈતિહાસ
જો ભારત અને શ્રીલંકાની વાત કરવામાં આવે તો કુલ 17 ટી-20 મેચ ખેલાયા છે. જેમાં ભારતને 11 મેચ જીત્યા છે જ્યારે શ્રીલંકાના ભાગે 5 મેચ આવ્યા છે. એક મેચ વરસાદના લીધે રદ થયો છે. છેલ્લા 9 મેચની વાત કરીએ તો ભારતે 8 મેચ જીત્યા છે જ્યારે 1 મેચ શ્રીલંકાને ફાળે ગયી છે. આમ શ્રીલંકાની સામે ભારતીય ટીમનો ઈતિહાસ મજબૂત રહ્યો છે. દેશ પણ એવું ઈચ્છી રહ્યો છે કે ભારતીય ટીમ આ મજબૂતાઈથી શ્રીલંકા સામે આ સીરીઝમાં જીત મેળવે.

 

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article