પોતાની પરંપરા તોડીને વૈશ્વિક સંસ્થા ICCના પ્રમુખની જગ્યાએ કોઈ પૂર્વ દિગ્ગજ ખેલાડીને વિશ્વ કપ ટ્રોફી પ્રદાન કરવા માટે આમંત્રિત કરી શકે છે. વર્તમાન પરંપરા મુજબ લોર્ડસમાં 14 જુલાઈએ રમાનારી ફાઈનલ મેચમાં વિજેતાને હાલના ચેરમેન શશાંક મનોહરને ટ્રોફી આપવી જોઈએ પણ જો ભારતના દિગ્ગજ બેટસમેન સચિન તેંડુલકર કે વિશ્વ કપ 2015ના વિજેતા કેપ્ટન માઈકલ ક્લાર્ક ટ્રોફી પ્રદાન કરે તો કોઈને પણ પરેશાન થવાની જરૂર નથી.
ICCને યુનિસેફ સાથે કરાર છે અને તેંડુલકર યુનિસેફના સદભાવના દુત છે. ત્યારે એવી સંભાવના છે કે બ્રિટિશ શાહી પરિવારના કોઈ સભ્યને ટ્રોફી પ્રદાન કરવા માટે બોલાવવામાં આવે. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ 2015ના વિશ્વ કપમાં પરંપરા તોડીને ICCના તત્કાલીન અધ્યક્ષ મુસ્તફા કમાલની જગ્યાએ તત્કાલીન ચેરમેન એન.શ્રીનિવાસને ટ્રોફી પ્રદાન કરી હતી. જેની પર ખુબ ચર્ચાઓ થઈ હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
તેની પર પણ ચર્ચાઓ થઈ હતી કે શું કોઈ દિગ્ગજ ક્રિકેટર ટ્રોફી પ્રદાન કરી શકે છે, કારણ કે બકિંગમ પેલેસમાંથી પુષ્ટિ મળવામાં થોડો સમય લાગશે પણ માહિતી મુજબ ICCએ બકિંગમ પેલેસમાં નિમંત્રણ મોકલ્યુ છે.
મુસ્તફા કમાલને 2015માં એટલા માટે ટ્રોફી પ્રદાન કરવાના સન્માનથી વંચિત રાખવામાં આવ્યા હતા કારણ કે તેમને ક્વાર્ટર ફાઈનલમાં બાંગ્લાદેશની ભારતના હાથે હાર માટે ખોટા એમ્પારિંગ માટે જવાબદાર ગણાવ્યા હતા અને અધ્યક્ષ પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ.
[yop_poll id=”1″]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]