ધોની નહી સહેવાગ હતા CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો

|

Sep 12, 2020 | 6:04 PM

ઈન્ડિયન પ્રિમિયર લીગ IPLની સૌથી વધારે પસંદગીની ટીમમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ સામેલ છે. આ ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતા પાછળ ટીમની સફળતા અને કેપ્ટન તરીકે M S DHONI એમ એસ ધોની હતા. ધોની પહેલી સિઝનથીજ આ ટીમનો હિસ્સો છે જો કે એ વાત ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ધોની ચેન્નાઈ ટીમની પહેલી પસંદગી નોહતા, ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી […]

ધોની નહી સહેવાગ હતા CSKની પહેલી પસંદ, પૂર્વ ખેલાડીએ કર્યો ચોંકાવનારો ખુલાસો
http://tv9gujarati.com/latest-news/dhoni-nahi-sheva…okavnaro-khulaso-158906.html

Follow us on

ઈન્ડિયન પ્રિમિયર લીગ IPLની સૌથી વધારે પસંદગીની ટીમમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નામ સામેલ છે. આ ફ્રેન્ચાઈઝીની લોકપ્રિયતા પાછળ ટીમની સફળતા અને કેપ્ટન તરીકે M S DHONI એમ એસ ધોની હતા. ધોની પહેલી સિઝનથીજ આ ટીમનો હિસ્સો છે જો કે એ વાત ઘણાં ઓછા લોકોને ખબર હશે કે ધોની ચેન્નાઈ ટીમની પહેલી પસંદગી નોહતા, ચેન્નાઈ ફ્રેન્ચાઈઝી મેનેજમેન્ટ ધોનીની જગ્યા પર સ્ફોટક ઓપનર વીરેન્દ્ર સહેવાગને પોતાની સાથે લેવા માંગતું હતું અને તેને જ કેપ્ટન બનાવવા માગતું હતું. આ ખુલાસો કર્યો છે ચેન્નાઈના પૂર્વ બેટ્સમેન સુબ્રમણ્યમ બદ્રીનાથે.

CSKએ ધોનીને IPL આતિહાસની પહેલી લિલામીમાં ખરીદ્યો હતો. ચેન્નાઈને છોડીને બાકી તમામ 7 ટીમે આઈકન રહેલા ખેલાડીઓને પોતાના કેપ્ટન બનાવ્યા, ખાલી ચેન્નાઈ પાસે કોઈ આઈકોન ખેલાડી નોહતો એટલે તેમણે ધોનીને ખરીધ્યો હતો.

પોતાના યૂ-ટ્યૂબ ચેનલમાં પૂર્વ CSK બેટ્સમેન બદ્રીનાથે આ રહસ્ય પરથી પરદો ઉઠાવ્યો હતો અને જણાવ્યું કે સેહવાગે દિલ્હી તરફથીજ પોતાની ઈચ્છા જાહેર કરી હતી એટલે જ તેણે ચેન્નાઈની ટીમ બદલવી પડી હતી. બદ્રીનાથ પ્રમાણે IPLની શરૂઆત 2008નાં વર્ષમાં થઈ હતી અને તમે જુઓ તો ચેન્નાઈ સુપર કિંગ્સની પહેલી પસંદ વીરેન્દ્ સેહવાગ હતા ખુદ મેનેજમેન્ટે પણ આ માટે મન બનાવી લીધુ હતું. સેહવાગે જ જો કે અંતમાં કહ્યું કે દિલ્હીમાં તેમનો ઉછેર થયો છે એટલે તે ટીમ સાથે તેમનું બોન્ડીંગ સારૂ રહેશે. તેમણે એ પણ ઉમેર્યું કે ધોનીએ થોડા સમય પહેલા જ ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું  એટલે ચેન્નાઈએ પછી તેને સાઈન કરી લીધો હતો.

આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર

ધોનીને ચેન્નાઈએ 6 કરોડ રૂપિયા આપીને ખરીધ્યો હતો. ધોની તે વખતે લીગનાં સૌથી મોંઘા ખેલાડી તરીકે ઉભર્યા હતા. ધોનીનાં આવવાથી ચેન્નાઈનાં બેટ્સમેન, કેપ્ટન , વિકેટકીપરની જરૂરિયાત એક સાથે પુરી થઈ ગઈ અને પછી ધોનીએ ચેન્નાઈને IPLનાં ઈતિહાસની સફળ ટીમ બનાવી નાખી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article