ક્રિકેટરોની પત્નિઓને ટ્રોલ કરનારાઓ પર ભડકી હરભજનની પત્નિ ગીતા બસરા, આપ્યુ આવુ બયાન

|

Oct 23, 2020 | 8:23 AM

ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહની પત્નિ અને બોલીવુડની અભીનેત્રી ગીતા બસરાએ ક્રિકેટર્સ ની પત્નિઓ ને ટ્રોલ કરવાને લઇને નિવેદન આપ્યુ છે. ગીતા બસરાએ ટ્રોલીંગ પર વાત કરતા કહ્યુ હતુ કે, રમત પ્રશંસકોના બહાને અથવા બલીના બકરા બનાવવાની જરુર હોય છે. ક્રિકેટરોની પત્નિઓ અને તેમની ગર્લફ્રેન્ડને ટ્રોલર્સ આસાની થી ટારગેટ કરતા હોય છે. Web Stories View […]

ક્રિકેટરોની પત્નિઓને ટ્રોલ કરનારાઓ પર ભડકી હરભજનની પત્નિ ગીતા બસરા, આપ્યુ આવુ બયાન

Follow us on

ભારતના દિગ્ગજ ક્રિકેટર હરભજન સિંહની પત્નિ અને બોલીવુડની અભીનેત્રી ગીતા બસરાએ ક્રિકેટર્સ ની પત્નિઓ ને ટ્રોલ કરવાને લઇને નિવેદન આપ્યુ છે. ગીતા બસરાએ ટ્રોલીંગ પર વાત કરતા કહ્યુ હતુ કે, રમત પ્રશંસકોના બહાને અથવા બલીના બકરા બનાવવાની જરુર હોય છે. ક્રિકેટરોની પત્નિઓ અને તેમની ગર્લફ્રેન્ડને ટ્રોલર્સ આસાની થી ટારગેટ કરતા હોય છે.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

ગીતા બસરાએ કહ્યુ હતુ કે, જ્યારે તેના પતિ હરભજન સિંહ ક્રિકેટ મેદાનમાં જ્યારે સારુ પ્રદર્શન નથી કરી શકતા ત્યારે લોકો મને ભલુ ખોટુ કહવા લાગે છે. લોકો પણ તેમના ખરાબ પ્રદર્શન માટે મને કહે છે કે મારા કારણ થી બધુ થયુ છે. પરંતુ જ્યારે તેઓ સારુ પ્રદર્શન કરે છે તો તે લોકો કંઇ જ કહેતા નથી.

ગીતા બસરાએ આગળ પણ કહ્યુ છે કે, લોકો આજના સમયમાં તારીફ કરવાની જગ્યાએ તેમના પરીવાર વિશે ખોટુ બોલવાનુ પસંદ કરે છે. તેણે કહ્યુ કે લોકો ના માટે કોઇની પર આરોપ લગાવવાનુ અને તેની પર બયાન આપવાનુ આસાન હોય છે. મેદાન પર ક્રિકેટર ખરાબ પ્રદર્શન કરે છે પરંતુ તેમના પરીવાર વાળાઓને નિશાને બનાવવામાં આવે છે. ગીતા બસરા એ પણ ટ્રોલીંગનો શિકાર થવુ પડ્યુ છે.

બતાવી દઇએ કે, ગીતા બસરા એ વર્ષ 2015 માં ભારતીય ક્રિકેટર હરભજ સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંને ખુબ લાંબા સમય થી એક બીજા સાથે રિલેશનશીપમાં હતાં, જેને લઇને બંનેએ લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો. બંનેને લગ્ન બાદ એક દીકરી પણ છે. તે તેની પુત્રી સાથે વધુમાં વધુ સમય વિતાવી રહ્યા છે. હરભજન આ વર્ષની ટી-20 લીગમાં પોતાનુ નામ પાછુ ખેંચી લીધુ હતુ, આમ તેણે પોતાના પરીવારને વધુ સમય આપવા માટે કર્યુ હતુ.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article