અમદાવાદમાં BCCIની મિટિંગમાં થયો મોટો ખુલાસો, IPL 2023ની ફાઈનલમાં લેવાશે એશિયા કપનો નિર્ણય

BCCI NEWS : 27 મે અને 28 મેના રોજ ક્રિકેટની ટુર્નામેન્ટને લઈને નિર્ણયો થવાના હતા. આજે 27 મેના રોજ અમદાવાદમાં બીસીસીઆઈના અધિકારીઓની મહત્વની મિટિંગ થઈ હતી. જેમાં કેટલાક મહત્વના મુદ્દા અને નિર્ણયો પર ચર્ચા થઈ હતી.

અમદાવાદમાં BCCIની મિટિંગમાં થયો મોટો ખુલાસો, IPL 2023ની ફાઈનલમાં લેવાશે એશિયા કપનો નિર્ણય
BCCI
| Edited By: | Updated on: May 27, 2023 | 11:40 PM

Ahmedabad : 28 મેના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2023ની ફાઈનલ મેચ રમાશે. આઈપીએલની મહત્વની મેચને લઈને બીસીસીઆઈ સચિવ જય શાહ સહિતના ઘણા અધિકારીઓ અમદાવાદ પહોંચ્યા છે. 27 મે અને 28 મેના રોજ ક્રિકેટની ટુર્નામેન્ટને લઈને નિર્ણયો થવાના હતા. આજે 27 મેના રોજ અમદાવાદમાં બીસીસીઆઈ (BCCI) ના અધિકારીઓની મહત્વની મિટિંગ થઈ હતી. જેમાં કેટલાક મહત્વના મુદ્દા અને નિર્ણયો પર ચર્ચા થઈ હતી.

આ પણ વાંચો : IPL 2023 Prize Money: અમદાવાદમાં ચેમ્પિયન બનનારી ટીમને મળશે આટલા કરોડ, હારનારી ટીમના ખાતામાં પણ જશે કરોડો રુપિયા

બીસીસીઆઈની મિટિંગના મુખ્ય મુદ્દાઓ

  • વર્લ્ડ કપ શેડ્યૂલ WTC ફાઈનલ દરમિયાન જાહેર થશે.
  • IPL 2023 ફાઈનલ દરમિયાન એશિયા કપનો નિર્ણય.
  • વર્લ્ડ કપ પહેલા અફઘાનિસ્તાન સામે વનડે સિરીઝ.
  • ઈન્ડિયા A ટૂર ટૂંક સમયમાં શરૂ થશે.
  • ભારત મહિલા કોચની જાહેરાત જૂને થશે.

આઈપીએલ 2023ની ફાઈનલના દિવસે મોટી મિટિંગ

 

 

મીડિયા રિપોર્ટ અનુસાર , બીસીસીઆઈ સચિવ જય શાહ એ જાણકારી આપી છે કે આ ફાઈનલ મેચ જોવા માટે બાંગ્લાદેશ, અફગાનિસ્તાન અને શ્રીલંકા ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ પણ અમદાવાદ પહોંચશે. એશિયા કપ 2023ને લઈને આ દિવસે મહત્વની વાતચીત થશે અને એશિયા કપના આયોજનને લઈને મહત્વના નિર્ણયો લેવાઈ શકે છે. જણાવી દઈએ કે પાકિસ્તાન અને ભારતના ક્રિકેટ બોર્ડ વચ્ચે એશિયા કપના વેન્યૂને લઈને સતત વિવાદ થઈ રહ્યો છે. તેવામાં અમદાવાદમાં થનારી મિટિંગ મહત્વની સાબિત થશે.

આ પણ વાંચો : VIDEO: સિંગર કિંજલ દવેનું સ્વપ્ન થયું પૂરુ, ગુજરાતી ગીતો પર ઝૂમી ઉઠયું નમો સ્ટેડિયમ, જુઓ શાનદાર Video

World Cup 2023ને લઈને મોટી અપડેટ્સ

  • વર્લ્ડ કપ 2023માં ભારત અને પાકિસ્તાનનો મુકાબલો 15 ઓક્ટોબર, 2023ના રોજ થઈ શકે છે.
  • અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ ( 5 ઓક્ટોબર) અને ફાઇનલ મેચની ( 19 નવેમ્બર) યજમાની કરી શકે છે.
  • ભારતીય ટીમની પહેલી મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેપોક સ્ટેડિયમમાં થઈ શકે છે.
  • વર્લ્ડ કપ 2023ની પ્રથમ મેચ  ઈંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ વચ્ચે થશે.
  •  મુંબઈ એક સેમી ફાઈનલ મેચની યજમાની કરશે.
  • પાકિસ્તાનની મેચો અમદાવાદ, હૈદરબાદ, ચેન્નાઈ, બેંગલુરુમાં રમાશે.

મીડિયા રિપોર્ટસ અનુસાર,  આ વર્લ્ડ કપ 2023માં 10 ટીમો વચ્ચે 48 મેચો રમાશે. આ મેચો 12 સ્ટેડિયમમાં રમાશે. વર્લ્ડ કપ 2023નું આયોજન 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર વચ્ચે થશે. આઈપીએલ 2023ની ફાઈનલ મેચ બાદ વર્લ્ડ કપ 2023નું શેડયૂલ જાહેર થઈ શકે છે. વનડે વર્લ્ડ કપ 2023 માટેના 12 વેન્યૂ – અમદાવાદ, હૈદરાબાદ, ચેન્નાઈ, બેંગલુરુ, કોલકાતા, દિલ્હી, ઈન્દોર, ધર્મશાલા, ગુવાહાટી, રાજકોટ, રાયપુર અને મુંબઈ.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો