IND vs WI: વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની અંતિમ મેચમાં નહી રમે, ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ઘરે પરત ફર્યો

|

Feb 19, 2022 | 10:50 AM

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે રમાનારી ત્રીજી T20 મેચમાં વિરાટ કોહલી (Virat Kohli) નહીં જોવા મળે, તે શ્રીલંકા સામેની T20 શ્રેણીનો પણ હિસ્સો નહીં હોય.

IND vs WI: વિરાટ કોહલી વેસ્ટ ઇન્ડિઝ સામેની સિરીઝની અંતિમ મેચમાં નહી રમે, ટીમ ઇન્ડિયાથી અલગ થઇ ઘરે પરત ફર્યો
Virat Kohli એ બીજી વન ડેમાં શાનદાર અર્ધશતકીય ઇનીંગ રમી હતી

Follow us on

વિરાટ કોહલી (Virat Kohli) ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) થી અલગ થઈ ગયો છે. તેને ભારત-વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) સામેની T20 શ્રેણીની છેલ્લી મેચમાંથી આરામ આપવામાં આવ્યો છે. આમ હવે કોહલી પોતાના ઘરે પરત ફર્યો છે. બાયો બબલના કારણે BCCI એ વિરાટ કોહલીને આરામ આપ્યો છે. ન્યૂઝ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે કોહલીને 10 દિવસનો આરામ આપવામાં આવ્યો છે. આ પહેલા એવા અહેવાલ હતા કે ટીમ ઈન્ડિયાનો પૂર્વ કેપ્ટન પણ શ્રીલંકા સામે 24 ફેબ્રુઆરીથી શરૂ થનારી ત્રણ મેચની T20 શ્રેણીનો ભાગ નહીં હોય. આ સિરીઝ લખનૌમાં શરૂ થનારી છે. આ પછી બાકીની બે મેચ 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે.

પીટીઆઈએ બીસીસીઆઈના એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું કે, હા, કોહલી શનિવારે સવારે તેના ઘરે ગયો હતો. ભારત પહેલા જ શ્રેણી જીતી ચૂક્યું છે. બીસીસીઆઈએ નિર્ણય લીધો હતો કે તમામ ફોર્મેટમાં રમતા તમામ નિયમિત ખેલાડીઓને તેમના વર્કલોડને મેનેજમેન્ટ કરવા અને તેમના માનસિક સ્વાસ્થ્યની કાળજી લેવા માટે સમય સમય પર બાયો બબલમાંથી બ્રેક આપવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
અમિત શાહે આપી શેરબજારની મોટી ટીપ, લોકસભામાં ભાજપની જીત બાદ આ 5 સ્ટોક થશે શૂટ અપ
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024

 

 

શ્રીલંકા સીરિઝ માટે ટીમ ઈન્ડિયાનુ એલાન બાકી

ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી માટે ટીમ ઈન્ડિયાની હજુ સુધી પસંદગી થઈ નથી. માનવામાં આવી રહ્યું છે કે 19 ફેબ્રુઆરીએ રાત્રે ટીમની જાહેરાત થઈ શકે છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણી અંતર્ગત બે મેચો પણ રમાવાની છે. આ મેચો મોહાલી અને બેંગ્લોરમાં રમાશે. વિરાટ કોહલી ટેસ્ટ શ્રેણીમાં રમશે.

આવનારા સમયમાં ભારતે સતત ક્રિકેટ રમવાનું છે. શ્રીલંકા સીરીઝ બાદ અફઘાનિસ્તાન તરફથી પણ સીરીઝના સમાચાર છે. ત્યારબાદ આઈપીએલ છે. IPL બાદ ભારતે ટેસ્ટ માટે ઈંગ્લેન્ડ જવાનું છે, ત્યારબાદ દક્ષિણ આફ્રિકાની ટીમ મર્યાદિત ઓવરોની શ્રેણી માટે ભારતની મુલાકાતે આવશે. વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા તરફથી ટી20 વર્લ્ડ કપ અને શ્રેણી પણ છે.

 

આ પણ વાંચોઃ IND vs WI: ટીમ ઇન્ડિયાની જીત છતા પણ કેપ્ટન રોહિત શર્મા ખેલાડીઓ પર નારાજ, ફિલ્ડીંગમાં નબળાઇને લઇ ઉઠાવ્યા સવાલ

આ પણ વાંચોઃ T20 World Cup Qualifier: ડેબ્યૂ મેચમાં જ ફટકારી દીધુ શતક, 22 વર્ષિય આ ખેલાડીએ 66 બોલમાં સૌથી મોટી ઇનીંગ રમી લઇ ગજબ કર્યો

 

 

Published On - 10:46 am, Sat, 19 February 22

Next Article