રંગીલા રાજકોટમાં 7 જાન્યુઆરીના શનિવારના રોજ શ્રીલંકા અને ભારતની ટીમ વચ્ચે ત્રીજી ટી-20 મેચ રમાઈ હતી. ભારતે આ મેચમાં શ્રીલંકાને ઓલઆઉટ કરીને 91 રનથી જીત મેળવી હતી. આ મેચમાં જીત સાથે જ ભારતીય ટીમે શ્રીલંકા સામેની ટી20 સિરીઝમાં 2-1થી જીત મેળવી હતી. ત્રીજી ટી-20 મેચમાં સૂર્યકુમાર યાદવે માત્ર 45 બોલમાં સદી ફટકારી હતી. તે 112 રન બનાવીને નોટ આઉટ રહ્યો હતો. આ ધમાકેદાર સદી બાદ ચારે તરફ સૂર્યકુમાર યાદવની પ્રસંશા થઈ હતી. વિરાટ કોહલીએ પણ ઈન્સ્ટાગ્રામ પર તેની પ્રસંશા કરી હતી. સૂર્યકુમાર યાદવે વિરાટ કોહલીને તેની પ્રતિક્રિયા આપતા મેસેજ કર્યો હતો. જેનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સૂર્યકુમાર યાદવની સદી બાદ કોહલીએ ઈન્સ્ટા સ્ટોરીમાં તેની પ્રસંશા કરી હતી. મેચ ખત્મ થયા બાદ સૂર્યકુમારે ડ્રેસિંગ રુમમાં પહોંચીને વિરાટ કોહલીને તે સ્ટોરી જોઈ હતી. બીસીસીઆઈએ આજે રવિવારે એક વીડિયો શેયર કર્યો છે, જેમાં સૂર્યકુમાર યાદવ કોહલીની સ્ટોરીનો જવાબ આપીને એક સ્પેશયલ મેસેજ ટાઈપ કરતો જોવા મળે છે. તે ખાસ મેસેજ તમે આ વીડિયોમાં જોઈ શકો છો.
Raw emotions 🎦
A Suryakumar fandom frenzy 👏🏻
A special reply to an Instagram story 😉
Unparalleled love for SKY from his fans as he signs off from Rajkot 🤗#TeamIndia | #INDvSL | @surya_14kumar pic.twitter.com/wYuRKMNv1L
— BCCI (@BCCI) January 8, 2023
આ વાયરલ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી શેયર કરવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ભારે વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને ખુબ પસંદ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક સોશિયલ મીડિયા યુઝરે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતના શ્રેષ્ઠ ક્રિકેટર્સ. બીજા સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, ભારતીય ટીમના ઉજ્જવળ ભવિષ્યનો સૂર્યોદય થયો છે. અન્ય એક સોશિયલ મીડિયા યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, સદીના મહાન ક્રિકેટર .