Breaking News : વૈભવ સૂર્યવંશીની જીદ સામે BCCI ઝૂકી ગયું! ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ પહેલાં નિયમોમાં મોટો ફેરફાર

ભારતીય યુવા ક્રિકેટર વૈભવ સૂર્યવંશી ફરી ચર્ચામાં છે. BCCIએ તેના માનસિક સ્વાસ્થ્ય અને સહાય માટે મહત્વનો નિર્ણય લીધો છે. 15 વર્ષીય વૈભવના ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન જશે તે માટે આ નિર્ણય લેવાયો છે.

Breaking News : વૈભવ સૂર્યવંશીની જીદ સામે BCCI ઝૂકી ગયું! ઇંગ્લેન્ડ-આયર્લેન્ડ પ્રવાસ પહેલાં નિયમોમાં મોટો ફેરફાર
| Updated on: Jun 18, 2026 | 5:41 PM

ભારતીય ક્રિકેટના ઉભરતા યુવા સ્ટાર વૈભવ સૂર્યવંશી ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે તેનું કારણ તેના પ્રદર્શન કરતાં વધુ BCCI દ્વારા કરવામાં આવેલો મહત્વપૂર્ણ નિર્ણય છે. માત્ર 15 વર્ષની ઉંમરે ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવનાર વૈભવ માટે ક્રિકેટ બોર્ડે ખાસ વ્યવસ્થા કરી છે, જેનાથી તેને મોટી રાહત મળશે.

તાજેતરમાં શ્રીલંકા પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને શ્રીલંકા A ટીમના ખેલાડી વચ્ચે મેદાન પર ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ ઘટનાએ BCCIનું ધ્યાન ખેંચ્યું હતું. ત્યારબાદ બોર્ડે યુવા ખેલાડીઓના માનસિક અને ભાવનાત્મક સમર્થનને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.

ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન માતા-પિતા રહેશે સાથે

BCCIના સચિવ દેવજીત સૈકિયાએ જણાવ્યું કે ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ પ્રવાસ દરમિયાન વૈભવ સૂર્યવંશીના માતા-પિતાને તેની સાથે રહેવાની મંજૂરી આપવામાં આવી છે. બોર્ડનું માનવું છે કે નાની ઉંમરના ખેલાડીઓ માટે પરિવારની હાજરી માનસિક રીતે ખૂબ મદદરૂપ સાબિત થાય છે.

વૈભવ પ્રથમ વખત ભારતીય T20 ટીમનો ભાગ બન્યો છે અને 26 જૂનથી બેલફાસ્ટમાં શરૂ થનારી શ્રેણીમાં ભાગ લેશે. આ પ્રવાસ દરમિયાન તે કુલ સાત મેચ રમશે, જેમાં બે મેચ આયર્લેન્ડ સામે અને પાંચ મેચ ઇંગ્લેન્ડ સામે રમાશે.

BCCIએ કેમ લીધો આ નિર્ણય?

દેવજીત સૈકિયાના જણાવ્યા મુજબ, વૈભવ હજુ ખૂબ નાની ઉંમરનો ખેલાડી છે અને સંભવતઃ હજુ શાળાના અંતિમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. આવી સ્થિતિમાં વિદેશ પ્રવાસ દરમિયાન માતા-પિતાની હાજરી તેને વધુ આત્મવિશ્વાસ અને માનસિક સ્થિરતા આપશે.

તેમણે જણાવ્યું કે, “વૈભવ સૂર્યવંશી આગામી બે-ત્રણ દાયકાઓ સુધી ભારતીય ક્રિકેટ માટે એક અમૂલ્ય સંપત્તિ બની શકે છે. તેથી તેના વિકાસ અને સુખાકારીનું ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે.”

વૈભવ સામે કોઈ કાર્યવાહી નહીં

શ્રીલંકા પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાને લઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે BCCI વૈભવ સૂર્યવંશી સામે કડક કાર્યવાહી કરી શકે છે. જોકે, BCCIએ આ તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

દેવજીત સૈકિયાએ સ્પષ્ટ કર્યું કે વૈભવ સામે કોઈપણ પ્રકારની શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે મેદાન પર બનેલી આ ઘટના રમતનો એક ભાગ હતી અને આવા મામલામાં નિર્ણય લેવાની જવાબદારી મેચ રેફરી અને અમ્પાયરોની હોય છે.

શું હતી સમગ્ર ઘટના?

શ્રીલંકા A ટીમ સામેની મેચ દરમિયાન વૈભવ સૂર્યવંશી અને ખેલાડી વિશેન હલંબગે વચ્ચે બોલાચાલી થઈ હતી. અહેવાલો મુજબ, શ્રીલંકન ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી કેટલીક ભડકાઉ ટિપ્પણીઓ બાદ વૈભવે પ્રતિક્રિયા આપી હતી. ઘટનાએ થોડા સમય માટે તણાવનું વાતાવરણ સર્જ્યું હતું, પરંતુ મામલો ત્યારબાદ શાંત થઈ ગયો હતો.

BCCIએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી મેચ અધિકારીઓ તરફથી કોઈ સત્તાવાર ફરિયાદ અથવા કાર્યવાહી નહીં થાય, ત્યાં સુધી બોર્ડ આ મામલે કોઈ દખલ કરશે નહીં.

યુવા પ્રતિભા પર BCCIનો વિશ્વાસ

વૈભવ સૂર્યવંશી ભારતીય ક્રિકેટનું ભવિષ્ય માનવામાં આવે છે. ખૂબ નાની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે તક મળવી એ પોતે જ એક મોટી સિદ્ધિ છે. BCCIનો આ નિર્ણય દર્શાવે છે કે બોર્ડ માત્ર ખેલાડીઓના પ્રદર્શન પર જ નહીં, પરંતુ તેમના માનસિક સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ પર પણ ખાસ ધ્યાન આપી રહ્યું છે.

Breaking News: 9 સદી ફટકારીને શુભમન ગિલ બન્યો નંબર-1, વિરાટ કોહલી-શિખર ધવનનો રેકોર્ડ તોડશે રેકોર્ડ!

Follow Us