
હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશ આઈસીસીને મનાવવાનો પ્રયત્ન કરી રહ્યું છે. ફરી એક વખત આઈસીસીને પોતાના નિર્ણય પર વિચાર કરવાનું કહેશે. કારણ કે, બાંગ્લાદેશના સ્પોર્ટસ એડવાઈઝર ડોક્ટર આસિફ નઝરુલનું કહેવું છે કે, સવાલ માત્ર સુરક્ષાનો નથી દેશની ગરિમાનો પણ છે. તેમણે ટી20 વર્લ્ડકપ 2026ની મેચ શ્રીલંકામાં જ રમવાની પોતાની વાત ફરી એક વખત કહી છે. આસિફ નઝરુલની સલાહ પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે પોતાના ટી20 વર્લ્ડકપની મેચના વેન્યુને બદલાવની માંગ કરી હતી. તેમણે ઈમેલ કરી આઈસીસીને પોતાની મેચ શ્રીલંકામાં શિફ્ટ કરવાની ડિમાંડ રાખી હતી. જે આઈસીસીએ નકારી કાઢી છે.
સ્પોર્ટસ એડવાઈઝર ડોક્ટર આસિફ નઝરુલે કહ્યું કે, આઈસીસીનો જવાબ મળ્યો અને વાંચી લાગે છે કે, તે સંપૂર્ણ રીતે બાંગ્લાદેશી ક્રિકેટરો સામે આવતી સુરક્ષા સમસ્યાઓથી હું વાકેફ નથી. મારું માનવું છે કે આ ફક્ત સુરક્ષાનો મુદ્દો નથી, પરંતુ રાષ્ટ્રીય ગૌરવનો પણ મુદ્દો બની ગયો છે.ભારતે બાંગ્લાદેશનું અપમાન કર્યું છે. અમે હજુ પણ આને ફક્ત સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ.
ટી20 વર્લ્ડકપ 2026નું શેડ્યુલ મુજબ હિન્દુ વિરોધી મુસ્લિમ દેશ બાંગ્લાદેશને ગ્રુપ સ્ટેજમાં 4 મેચ ભારતના 2 શહેરો કોલકાતા અને મુંબઈમાં રમાવાની છે. આઈપીએલમાંથી મુસ્તફિઝુર રહમાનને બહાર કર્યા બાદ બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આઈસીસીને એક ઈમેલમાં પોતાના વેન્યુને બદલવાની માંગ કરી હતી. જવાબમાં આઈસીસીએ કહ્યું કે, તેમણે પોતાની મેચ નક્કી શેડ્યુલ મુજબ જ રમવી પડશે.
ટુંકમાં બાંગ્લાદેશની માંગણી ICC દ્વારા ફગાવી દેવામાં આવી હતી
એવું લાગે છે કે, બાંગ્લાદેશ આઈસીસીનો જવાબ માનવા તૈયાર નથી. બાંગ્લાદેશના સ્પોર્ટસ એડવાઈઝર ડોક્ટર આસિફ નઝરુલે કહ્યું કે, તે કોઈ પણ વાત માનવા તૈયાર નથી. કારણ કે, સવાલ ખેલાડીઓની સુરક્ષા, બાંગ્લાદેશની સુરક્ષા અને બાંગ્લાદેશની ગરિમા સાથે જોડાયેલ છે. અમે ક્રિકેટ રમવા માંગીએ છીએપરંતુ ભારતમાં નહી પરંતુ શ્રીલંકામાં, જે ટૂર્નામેન્ટની એક વેન્યુ છે. તેમણે કહ્યું કે, હજુ પણ પોતાની વાત પર અડગ છે કારણ કે,અમને વિશ્વાસ છે કે અમે આ મુદ્દા પર ICC ને મનાવવામાં અને સમજાવવામાં સફળ રહીશું.