IND vs SL: સૂર્યકુમાર યાદવને T20નો કેપ્ટન બનતા જ મોટો આંચકો લાગશે, આ મોટી ટૂર્નામેન્ટ નહીં રમે?

સૂર્યકુમાર યાદવ શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. આ મહત્વપૂર્ણ શ્રેણી પહેલા પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપડાએ સૂર્યકુમાર યાદવ પર મોટું નિવેદન આપ્યું છે. આકાશ ચોપડાના મતે સૂર્યકુમાર યાદવ વનડે ટીમનો ભાગ નથી, તેથી સૂર્યા આગામી સમયમાં મોટી ટુર્નામેન્ટમાં નહીં રમે અને તેને ટીમની બહાર જ રહેવું પડશે.

IND vs SL: સૂર્યકુમાર યાદવને T20નો કેપ્ટન બનતા જ મોટો આંચકો લાગશે, આ મોટી ટૂર્નામેન્ટ નહીં રમે?
Suryakumar Yadav
| Updated on: Jul 23, 2024 | 11:51 PM

ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની T20 સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. સૂર્યકુમાર યાદવ માટે આ સિરીઝ ખૂબ જ ખાસ બની રહી છે. તે આ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળશે. એવું માનવામાં આવે છે કે સૂર્યકુમારને લાંબા સમયથી આ ફોર્મેટનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જો તેની કેપ્ટનશીપમાં ટીમનું પ્રદર્શન સારું રહેશે તો તે T20 વર્લ્ડ કપ 2026માં પણ ટીમની કમાન સંભાળી શકે છે. પરંતુ એક પૂર્વ ભારતીય ક્રિકેટરે સૂર્યા વિશે મોટી ભવિષ્યવાણી કરી છે. આ અનુભવી ખેલાડીનું માનવું છે કે સૂર્યા ICCની મોટી ટૂર્નામેન્ટમાં રમતા જોવા નહીં મળે.

સૂર્યા આ મોટી ટુર્નામેન્ટ નહીં રમે?

વાસ્તવમાં સૂર્યકુમાર યાદવને T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ તેને ODI ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આવી સ્થિતિમાં પૂર્વ ભારતીય ક્રિકેટર આકાશ ચોપરાએ એક મોટી ભવિષ્યવાણી કરી છે. તેનું માનવું છે કે T20નો સૂર્યકુમાર યાદવ ચેમ્પિયન્સ ટ્રોફીમાં નહીં રમે કારણ કે તે ODI ટીમમાં ફિટ નથી. તમને જણાવી દઈએ કે, આવતા વર્ષની શરૂઆતમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાનમાં થવાનું છે. આ પહેલા ભારતને માત્ર 6 ODI મળશે, જેમાંથી તે શ્રીલંકા સામે 3 ODI રમશે અને સૂર્યા આ ODI મેચોમાં ટીમનો ભાગ નથી.

આકાશ ચોપરાની મોટી આગાહી

પોતાની યુટ્યુબ ચેનલ પર સૂર્યકુમાર યાદવ વિશે વાત કરતી વખતે આકાશ ચોપરાએ કહ્યું કે સૂર્યકુમાર યાદવ એ ટીમનો ભાગ હતો જે ODI વર્લ્ડ કપ 2023ની ફાઈનલમાં પહોંચી હતી. તે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ રમનારી ટીમમાં પણ હતો. પરંતુ સૂર્યા હવે ODI ટીમનો ભાગ નથી. આવી સ્થિતિમાં જ્યારે સૂર્યા વિશે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કહેવામાં આવ્યું કે તે એક શાનદાર અને ખાસ ખેલાડી છે પરંતુ તે માત્ર T20 ઈન્ટરનેશનલમાં જ રમતો જોવા મળશે. વનડેમાં તેના નામ પર વિચાર કરવામાં આવ્યો ન હતો. જો તેના નામની ચર્ચા નથી થઈ રહી અને ચેમ્પિયન્સ ટ્રોફી આવવાની છે તો તમે માની શકો છો કે સૂર્યા ચેમ્પિયન્સ ટ્રોફીમાં જોવા નહીં મળે.

અગરકરે પત્રકાર પરિષદમાં મોટી વાત કહી

અજિત અગરકરે આ પ્રવાસ પર સૂર્યકુમાર યાદવને ODI ટીમનો હિસ્સો ન બનાવવા પાછળ મોટું કારણ આપ્યું હતું. અજીત અગરકરે કહ્યું હતું કે અમે ODIમાં સૂર્યા વિશે ચર્ચા કરી નથી. શ્રેયસ અય્યર અને કેએલ રાહુલ વનડે ટીમમાં પાછા ફર્યા છે. આ બંને ખેલાડીઓએ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. રિષભ પંત પણ ટીમમાં આવ્યો છે. તેથી સૂર્યકુમાર યાદવ હાલમાં T20માં રહેશે. અગરકરના આ નિવેદનથી એ પણ સ્પષ્ટ થાય છે કે સૂર્યા માટે ભવિષ્યમાં પણ ODI ટીમમાં તક મેળવવી મુશ્કેલ છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: ઓલિમ્પિકમાં મેડલને ખેલાડીઓ દાંતથી કેમ કરડે છે? આનું કારણ શું છે?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો