T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ પહેરી કાળી પટ્ટી, સચિન-ગૌતમ ગંભીર પણ થઈ ગયા ભાવુક

|

Jun 20, 2024 | 11:25 PM

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનના નિધન પર ભારતીય ક્રિકેટમાં શોકની લહેર છે. સચિનની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કરનાર આ ખેલાડી ઘરની બાલ્કનીમાંથી નીચે પડી ગયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે આ આત્મહત્યાનો મામલો છે. જોન્સનના નિધન બાદ ટીમ ઈન્ડિયાએ આ ખેલાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ આજની મેચમાં કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા.

T20 World Cup 2024 : ટીમ ઈન્ડિયાએ પહેરી કાળી પટ્ટી, સચિન-ગૌતમ ગંભીર પણ થઈ ગયા ભાવુક
Team India

Follow us on

ટીમ ઈન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ડેવિડ જોન્સનનું ગુરુવારે નિધન થયું છે. બેંગલુરુમાં રહેતો જ્હોન્સન તેના ઘરની બાલ્કનીમાંથી નીચે પડી ગયો અને તેનું મોત નીપજ્યું. કહેવામાં આવી રહ્યું છે કે આ આત્મહત્યાનો મામલો છે, જોકે પોલીસ તપાસ ચાલુ છે. જોન્સનના નિધનથી ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓ દુખી છે. T20 વર્લ્ડ કપ રમી રહેલી ટીમ ઈન્ડિયાએ પણ આ ખેલાડીને શ્રદ્ધાંજલિ આપી હતી. ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ કાળી પટ્ટી પહેરીને અફઘાનિસ્તાન સામે રમ્યા હતા. BCCIએ માહિતી આપી હતી કે ભારતીય ટીમ ડેવિડ જોન્સનની યાદમાં કાળી પટ્ટી પહેરી રહી છે.

સચિન ભાવુક થઈ ગયો

ડેવિડ જોન્સને ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ રમી અને સચિનની કેપ્ટનશીપમાં ડેબ્યૂ કર્યું. આ જ કારણ છે કે સચિન પણ આ ખેલાડીના નિધનથી ઘણો નિરાશ દેખાયો. સચિને X પર લખ્યું કે તે તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીના નિધનથી ખૂબ જ દુઃખી છે. તે એક જીવંત વ્યક્તિ હતા જેણે ક્યારેય હાર ન માની. સચિને જોન્સનના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ
Travel Tips : વરસાદની ઋતુમાં ફરવા માટે બેસ્ટ રોમેન્ટિક ડેસ્ટિનેશન, જુઓ ફોટો

 

ખેલાડીઓએ દુઃખ વ્યક્ત કર્યું

પૂર્વ ભારતીય બોલર વેંકટેશ પ્રસાદ અને અનિલ કુંબલે, જેઓ કર્ણાટક ટીમમાં જોન્સન સાથે રમ્યા હતા, તેમણે પણ સોશિયલ મીડિયા પર તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. પ્રસાદે લખ્યું, ‘ડેવિડ જોન્સનના નિધનના સમાચાર સાંભળીને હું આઘાત અને દુઃખી છું. તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. ઓમ શાંતિ.’ કુંબલેએ કહ્યું, ‘મારા ક્રિકેટ પાર્ટનર ડેવિડ જોન્સનના નિધનના સમાચાર સાંભળીને હું દુખી છું. તેમના પરિવાર પ્રત્યે હૃદયપૂર્વક સંવેદના. બેની બહુ જલ્દી ચાલ્યા ગયા!’ ગૌતમ ગંભીરે પણ ડેવિડ જોન્સનને શ્રદ્ધાંજલિ આપતા લખ્યું કે તે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ખેલાડીના નિધનથી દુઃખી છે. ભગવાન તેમના પરિવાર અને નજીકના લોકોને શક્તિ આપે.

આ પણ વાંચો: Video: ‘મારે ટીમ ઈન્ડિયાની મેચ શા માટે જોવી…’ T20 વર્લ્ડ કપ પર રિયાન પરાગે આ શું કહ્યું?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 11:22 pm, Thu, 20 June 24

Next Article