હરમનપ્રીત કૌરના સ્થાને કોણ બનશે ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન? સ્મૃતિ મંધાના નહીં, આ ખેલાડી છે મોટી દાવેદાર

|

Oct 16, 2024 | 5:55 PM

ગ્રૂપ સ્ટેજમાં જ મહિલા T20 વર્લ્ડ કપમાંથી બહાર થયા બાદ કેપ્ટન હરમનપ્રીત કૌર વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. BCCI ટૂંક સમયમાં જ તેને હટાવીને નવી કેપ્ટન પસંદ કરી શકે છે. આ માટે બે ખેલાડીઓને સૌથી મોટા દાવેદાર માનવામાં આવે છે.

હરમનપ્રીત કૌરના સ્થાને કોણ બનશે ટીમ ઈન્ડિયાની નવી કેપ્ટન? સ્મૃતિ મંધાના નહીં, આ ખેલાડી છે મોટી દાવેદાર
Smriti Mandhana & Harmanpreet Kaur
Image Credit source: PTI

Follow us on

મહિલા T20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ સામે હારીને ગ્રુપ સ્ટેજમાંથી બહાર થઈ ગઈ હતી. મજબૂત ટીમ હોવા છતાં ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં જગ્યા બનાવી શકી નથી. તેથી, BCCI એક્શન મોડમાં છે અને ટૂંક સમયમાં હરમનપ્રીત કૌરને હટાવીને નવી કેપ્ટન પસંદ કરી શકે છે. જો આમ થાય છે તો ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ માટે બે ખેલાડીઓને સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે.

સ્મૃતિ મંધાના કેપ્ટનશિપની દાવેદાર

35 વર્ષની હરમનપ્રીતની નિષ્ફળતા અને ઉંમરને ધ્યાનમાં રાખીને BCCI હવે ટીમ ઈન્ડિયામાં કેટલાક ફેરફાર કરવા માંગે છે. કારણ કે આવતા વર્ષે એટલે કે 2025માં ભારતમાં મહિલા ODI વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. એક અહેવાલ મુજબ બોર્ડ આ પહેલા નવા કેપ્ટનની પસંદગી કરી શકે છે. જો આમ થશે તો પહેલો વિકલ્પ ટીમ ઈન્ડિયાની વર્તમાન વાઈસ કેપ્ટન સ્મૃતિ મંધાના હશે.

Bigg Boss 18 : આ છે 'બિગ બોસ 18'નો સૌથી મોંઘો સ્પર્ધક , જુઓ ફોટો
શરદ પૂર્ણિમાની રાત્રે કેમ ચાંદની રોશનીમાં મૂકવામાં આવે છે દૂધ પૌંઆ ?
7 tricks : ચાર્જર થઈ ગયું છે કાળુ? આ ટિપ્સ ફોલો કરીને પહેલા જેવું જ કરો સફેદ
આજનું રાશિફળ તારીખ : 16-10-2024
વિરાટ કોહલીએ કરી તોડફોડ, ખુરશી પર કાઢ્યો ગુસ્સો!
પાકિસ્તાનમાં જોવા મળ્યો ભારતીય વિદેશ મંત્રીનો સ્વેગ, બાળકોએ પણ પડાવ્યા ફોટોસ

જેમિમાહ રોડ્રિગ્સ પણ રેસમાં

મંધાના હાલમાં 28 વર્ષની છે અને તેણે ODI વર્લ્ડ કપ અને T20 વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ રમી છે. આનો મતલબ એ છે કે યુવાન હોવાની સાથે તેની પાસે અનુભવ પણ છે અને તે લાંબા સમય સુધી ટીમનું નેતૃત્વ કરી શકે છે. આ સિવાય પ્રદર્શનના મામલે તે ટીમના શ્રેષ્ઠ ખેલાડીઓમાંથી એક છે. જો કે, મિડલ ઓર્ડર બેટ્સમેન જેમિમાહ રોડ્રિગ્સ એક એવી ખેલાડી છે જેને મંધાના કરતાં મોટી દાવેદાર માનવામાં આવે છે.

 

મંધાના કરતાં જેમિમાહ મોટી દાવેદાર

જો કે હરમનપ્રીત કૌરની ઉત્તરાધિકારી સ્મૃતિ મંધાના છે, પરંતુ જેમિમાહ રોડ્રિગ્સ તેનાથી પણ મોટી દાવેદાર માનવામાં આવી રહી છે. પૂર્વ ખેલાડી અને કેપ્ટન મિતાલી રાજે પણ જેમિમાહને કેપ્ટન બનાવવાની માંગ કરી છે. તેની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે તેની આખી ટીમ સાથે સારી બોન્ડિંગ છે. તે ટીમમાં સારા અને હળવા વાતાવરણને જાળવી રાખવા માટે જાણીતી છે.

મંધાના કરતાં વધુ સમય કેપ્ટનશિપ કરી શકશે

જેમિમાહ ઘણીવાર તમામ ખેલાડીઓનું મનોરંજન કરતી જોવા મળે છે. તેથી જ તેને સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. આ સિવાય તે હરમનપ્રીત પછી મિડલ ઓર્ડરમાં સૌથી મહત્વપૂર્ણ બેટ્સમેન છે. આ સિવાય મંધાનાની જેમ તેને પણ મોટી ટુર્નામેન્ટમાં રમવાનો અનુભવ છે. તેની ગણતરી મેદાન પરના સૌથી ઝડપી ખેલાડીઓમાં પણ થાય છે. સૌથી મોટી વાત એ છે કે તેની ઉંમર માત્ર 24 વર્ષ છે, એટલે કે તે મંધાના કરતાં વધુ સમય સુધી કેપ્ટનશિપ કરી શકશે.

આ પણ વાંચો: IND vs NZ: બેંગલુરુ ટેસ્ટના સમયમાં થયો ફેરફાર, હવે જલ્દી શરૂ થશે મેચ, જાણો કેવું રહેશે હવામાન?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article